Gujarat

ગુજરાતના પાટનગરમાં જ ચાલે છે ગેરકાયદેસરની દવાઓનો ગોરખધંધો, આ રીતે થયો પર્દાફાશ

AHEMDABAD : ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) એ ગુરુવારે ગાંધીનગર ( GANDHINAGAR) જિલ્લામાં એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા અને રૂ.63 લાખની એંટીબાયોટિક દવાઓ જપ્ત કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપની આ દવાઓ નાઇજીરીયામાં નિકાસ કરવાની તૈયારી કરી રહી છે. એફડીસીએ કમિશનર એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, કલોલ તાલુકાના હાજીપુર ગામ નજીક કંપની પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવ્યું છે કે એક્સક્લેવ 625 ( XCLAVE 625) બનાવવાની મંજૂરી ન હોવા છતાં તે ઉત્તરાખંડ કંપનીના નામે તૈયાર કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે એન્ટિબાયોટિક્સને ( ANTI BIOTIC) ગેરકાયદેસર બનાવવા બદલ કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે.કંપની એક્સક્લાવ 625 કો-એમોક્સિકલેવ ટેબ્લેટ બીપીનું નિર્માણ કરી રહી હતી, જેના માટે કંપની પાસે તેનું લાઇસન્સ નહોતું.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અનુસાર મે. સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી., ગાંધીનગર છેલ્લા ત્રણ વર્ષની ઉત્પાદન પરવાના ધરાવે છે. આ પેઢીના ભાગીદાર  પ્રવિણભાઇ ચૌધરી અને તેની ટેકનીકલ ટીમ દ્વારા મે. ફાઇનક્યોર ફાર્મા, ઉત્તરાખંડના નામે “એક્ષક્લેવ-૬૨૫ કો-એમોક્ષીક્લેવ ટેબલેટ બી.પી. (Exaclav-625 Co-Amoxiclav Tablet B.P.)” ની બનાવટનું ગેરકાયદેસર ઉત્પાદન કરતા પકડાયા છે. આ દરોડા દરમિયાન ૪,૨૦,૦૦૦ જેટલી “એક્ઝાક્લેવ-૬૨૫” ટેબલેટનો આશરે રૂ.૬૩.૦૦ લાખની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. “એક્ઝાટીલ ડ્રાયસીરપ(Exatil Dry Syrup)” બ્રાન્ડનેમની બનાવટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

જે મે. બ્રુસેલ્સ લેબોરેટરી પ્રા. લી., ચાંગોદર, અમદાવાદના પરવાના નં.G/1010, નામ અને સરનામાંનો ઉપયોગ કરીને બનાવટી દવાનું ઉત્પાદન કરવામાં આવતુ હતું. એક્ઝાક્લેવ-૬૨૫ ટેબલેટના તૈયાર ૧૮૫૦ કાર્ટન તથા એલ્યુમીનીયમ ફોઇલના રોલ જેના પર પણ Batch No. B2635, Mfg. Dt. 01/2021, Exp. Dt. 12/2022 છાપી અને બ્લીસ્ટર / એલુએલુ પેકીંગ માટે તૈયાર માલ આગળની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર દરોડા દરમિયાન કુલ ૭૦.૦૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી  હાથ ધરવામાં આવી છે. 

મે. સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી. ઉત્પાદક પેઢીએ ગેરકાયદે એક્ષપોર્ટ માટેના કાર્ટન, રો-મટીરીયલ, બોક્ષ, એલ્યુમીનીયમ ફોઇલ વગેરે ક્યાંથી મેળવેલ છે? અને કેવી રીતે નાઇજીરીયા દેશમાં નિકાસ કરવાના છે તેની સઘન તપાસ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં આવુ ગેરકાયદેસર ઉત્પાદન કરતી કંપનીઓ અને વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે. આવા ગુન્હાહિત કૃત્યો આચરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું છે.  

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top