World

હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર હુમલો કર્યો, એક પછી એક રોકેટ છોડ્યા

હિઝબોલ્લાહે મંગળવારે મધ્ય ઇઝરાયેલમાં ઘણા રોકેટ છોડ્યા જેને કારણે દેશના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા હતા. જો કે આ હુમલાઓમાં કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. અમેરિકી વિદેશ મંત્રી એન્થોની બ્લિંકન ગાઝા યુદ્ધવિરામ વાટાઘાટો ફરી શરૂ કરવાના મિશન પર આ વિસ્તારમાં પહોંચ્યા તેના કલાકો પહેલાં આ હુમલો થયો હતો.

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે લેબનોનથી ઇઝરાયેલમાં પાંચ રોકેટ છોડવામાં આવ્યા હતા અને તેમાંથી મોટાભાગના ઇઝરાયેલની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં નાશ પામ્યા હતા. એક રોકેટ ખુલ્લા વિસ્તારમાં પડ્યું હતું. હમાસના નેતા યાહ્યા સિનવારના મૃત્યુ બાદ ગાઝામાં યુદ્ધવિરામની વાટાઘાટો ફરી શરૂ કરવા માટે દબાણ કરીને હિઝબોલ્લાહ દ્વારા સંચાલિત નાણાકીય સંસ્થાને નિશાન બનાવીને ઇઝરાયેલ લેબનોનમાં હુમલામાં વધારો કરી રહ્યું છે ત્યારે રોકેટ હુમલાઓ હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યા છે.

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસનો નાશ કરવાની અને જૂથ દ્વારા બંધક બનાવાયેલા ડઝનેક લોકોને મુક્ત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તે જ સમયે હમાસનું કહેવું છે કે તે કાયમી યુદ્ધવિરામ, ગાઝામાંથી ઇઝરાયલી સૈનિકોને સંપૂર્ણ હટાવવા અને પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં જ બંધકોને મુક્ત કરશે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને 250 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ગાઝામાં ઇઝરાયેલના વળતા હુમલામાં 42,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. યુદ્ધે ગાઝાનો મોટાભાગનો ભાગ તબાહ કર્યો છે અને તેની 2.3 મિલિયન વસ્તીના લગભગ 90 ટકા લોકો વિસ્થાપિત થયા છે.

Most Popular

To Top