National

ભારતમાં બનશે બે ન્યુક્લિયર સબમરીન, કેન્દ્ર સરકારે આટલા કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી

નવી દિલ્હીઃ ભારત સરકારની CCS એટલે કે વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ બે સ્વદેશી પરમાણુ સબમરીન બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આનાથી ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક અને આક્રમક ક્ષમતામાં વધારો થશે. આ સબમરીનના નિર્માણથી હિંદ મહાસાગર ક્ષેત્ર અને દક્ષિણ ચીન સાગરમાં નેવીની તાકાત વધશે.

આ સબમરીનનું નિર્માણ વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં કરવામાં આવશે. આને બનાવવામાં લાર્સન અને ટુબ્રો જેવી ખાનગી કંપનીઓની મદદ પણ લઈ શકાય છે. સબમરીન 95 ટકા સુધી સ્વદેશી હશે. આ સબમરીન અરિહંત વર્ગથી અલગ હશે. આ પ્રોજેક્ટ એડવાન્સ ટેક્નોલોજી વેસલ હેઠળ બનાવવામાં આવશે.

અત્યારે બે સબમરીન બનાવવામાં આવશે, ત્યારબાદ ચાર વધુ બનાવી શકાશે. જ્યારે ભારતે તાજેતરમાં તેની બીજી SSBN એટલે કે પરમાણુ સબમરીન INS અરિઘાટને કાર્યરત કરી છે. આગામી વર્ષમાં ભારતીય નૌકાદળમાં વિવિધ પ્રકારના યુદ્ધ જહાજ અને સબમરીન ઉપલબ્ધ થવા જઈ રહી છે.

આ 12 યુદ્ધ જહાજોમાં ફ્રિગેટ્સ, કોર્વેટ્સ, ડિસ્ટ્રોયર, સબમરીન અને સર્વે વેસલ્સ પણ સામેલ છે. નૌકાદળમાં તેમના સમાવેશ સાથે, હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR) માં સુરક્ષાનું સ્તર વધશે.

વિશાખાપટ્ટનમ વર્ગમાં ચાર યુદ્ધ જહાજોનો સમાવેશ થાય છે. વિશાખાપટ્ટનમ તેના વર્ગનું અગ્રણી યુદ્ધ જહાજ છે. તે આ વર્ષે ડિસેમ્બરમાં નેવીમાં જોડાશે. તેમાં કેટલાક અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે. આ જ વર્ગની INS સુરતને પણ આ વર્ષે ડિસેમ્બરમાં સામેલ કરવામાં આવશે.

આ વર્ગના ડિસ્ટ્રોયર પાસે 32 બરાક 8 મિસાઈલ, 16 બ્રહ્મોસ એન્ટી શિપ મિસાઈલ, 4 ટોર્પિડો ટ્યુબ, 2 એન્ટી સબમરીન રોકેટ લોન્ચર, 7 પ્રકારની બંદૂકો છે. ધ્રુવ અને સી કિંગ હેલિકોપ્ટર તૈનાત છે. આ એવા યુદ્ધ જહાજો છે જેમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સતત પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top