Charchapatra

માર્ગ અકસ્માતો રોકવા અર્થે ઇન્ગ્લેન્ડ જેવો નિયમ બનાવવાની જરૂર

એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે દોઢ લાખ લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામે છે. તે પૈકી ઓગણસાઈઠ ટકા અકસ્માતો ઓવર સ્પીડના કારણે થાય છે. વીમા કંપનીઓના જણાવ્યા અનુસાર પણ મોટા ભાગના રોડ અકસ્માતો માટે વધુ પડતી સ્પીડ, રફ ડ્રાઈવિંગ અને આડેધડ ઓવરટેક જેવાં મુખ્ય કારણો જવાબદાર હોય છે. તાજેતરમાં આ લખનારને યુકે-ઇન્ગ્લેન્ડ જવાનું થયું ત્યારે ત્યાં જાણવા મળ્યું કે સમગ્ર ઇગ્લેન્ડમાં શહેનરા જાહેર માર્ગ અને એકસપ્રેસ હાઈ વે પર સી. સી.ટી.વી. કેમેરાની સાથે કેટલી સ્પીડથી વાહન ચલાવવું તે દર્શાવતાં બોર્ડ મારેલાં હોય છે.

તે સ્પીડથી દસ ટકાથી વધુ સ્પીડથી વાહન ચલાવનારા વાહનચાલકના ઘરે ઓવરસ્પીડથી વાહન ચલાવવા અંગેનો મેમો આવી જાય છે. જેમાં વાહન ચલાવવા અંગેનો કોર્સ કરવાનો અથવા દંડ-પેનલ્ટી ભરવાનો એમ બે વિકલ્પ આપેલા હોય છે. પરંતુ અમુક નિશ્ચિત કરેલાથી વધુ વખત વાહનચાલક ઓવરસ્પીડથી વાહન ચલાવે તો ભારે દંડ પેનલ્ટી ભરવી પડે છે. જે પ્રમાણે વાહનની સ્પીડ તે પ્રમાણે દંડ પેનલ્ટીની રકમ ભરવી પડે છે. ત્યાર બાદ વધુ વખત ઓવર સ્પીડથી વાહન ચલાવે તો અંતે તેનું લાયસન્સ વાહન ચલાવવાનું રદ કરી દેવામાં આવે છે.

ઇંગ્લેન્ડમાં વાહનચાલક માટે ટ્રાફિકના નિયમ-કાયદા આવા કડક હોવાથી વાહન અકસ્માત ઘણા ઓછા સર્જાય છે. આપણા દેશમાં પણ જો આ પ્રમાણે શહેરના જાહેર માર્ગો ઉપર અને એકસપ્રેસ હાઈ વે ઉપર વાહન સ્પીડ લિમીટના બોર્ડ દર્શાવવામાં આવે અને ટ્રાફિકના નિયમો-કાયદા કડક બનાવવામાં આવે તો અને ઓવર સ્પીડથી ચાલતાં વાહનો માટે ઇગ્લેન્ડ જેવી દંડ-પેનલ્ટીની જોગવાઈ કરવામાં અવશ્ય ઓવર સ્પીડથી ચાલતાં વાહનો અને માર્ગ અકસ્માતો પર નિયંત્રણ માટે રોડ-શો દ્વારા અને સોશ્યલ નેટવર્ક દ્વારા લોકોને જાગૃત કરવાની પણ તાતી જરૂર છે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સગાઈ અને નવા પૂલો ઝાઝુ ટકતાં નથી
હાસ્ય લેખક શ્રી નટવર પંડયા, એમના હાસ્ય લેખમાં લખે છે કે આજકાલ સગાઈ અને નવા બંધાયેલા પૂલ ઝાઝુ ટકતા નથી. એટલે પૂલ તૂટી જાય એ પહેલાં ઉદ્દઘાટન કરી નાંખવું સારૂં અને સગાઈ તૂટે તે પહેલાં લગન કરી લેવા સારાં.’ વાત બન્ને મુદ્દે સાચી છે.આજે સરકારોનાં કોઇ પણ બાંધકામ ઝાઝુ ટકતાં નથી. એમાંયે પૂલો તૂટે નહિ તો ગાબડાં પણ પડી જતાં હોય છે. બિહારમાં હમણાં ઉપરા છાપરી પંદર જેવા પૂલ એ પહેલાં ફટાફટ તૂટી પડયા છે.

એટલે કયારેક એવું બને એ પહેલા નવા સરાકીર ઇમારતનું ઉદ્દઘાટન જલ્દી કરીને તકલીફ લગાવી દેવી સારી. આજ રીતે આજે સગાઈઓ પણ પેલા ભ્રષ્ટાચારના સાક્ષી સમા પૂલાંની જેમ ફટાફટ તૂટી જતી હોય છે. એટલે લગ્નનાં લ્હાવો લેવો પૂરતો પણ મૂરતિયો અને કન્યા જલ્દીથી લગન કરી લે એ એમના માટે ગર્વની વાત ગણાશે. સામાન્ય રીતે સગપણ અને નવા સરકારી પુલો જેમ બને તેમ ઝડપથી તૂટવા માટે જ નિર્માણ પામતા હોય ચે,એવું આપણે અનુભવથી કહી શકીએ ખરા.
સુરત     – બાબુભાઈ નાઈ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top