National

કર્ણાટક સરકારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેન્ક પર પ્રતિબંધ મુક્યો, જાણો શું છે મામલો…

નવી દિલ્હીઃ કર્ણાટક સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) સાથેના તમામ વ્યવહારો તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. આ નિર્ણય હેઠળ રાજ્યના વિભાગોને આ બેંકોમાં તેમના ખાતા બંધ કરવા અને તેમની થાપણો ઉપાડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

કર્ણાટક સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર આ બંને બેંકોમાં કોઈ પણ પ્રકારની થાપણ કે રોકાણ નહીં કરવા સૂચના અપાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સરકારમાં નાણા વિભાગના સચિવ જાફર દ્વારા જારી કરાયેલી આ સૂચના આ બંને બેંકોમાં જમા સરકારી નાણાંના દુરુપયોગના આરોપો વચ્ચે આવી છે.

સરકારે કડક શબ્દોમાં કહ્યું છે કે કથિત દુરુપયોગ અંગે અનેક ચેતવણીઓ છતાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેન્ક (PNB) બેન્ક તરફથી કોઈ પગલાં લીધાં નથી, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

SBI અને PNB અંગે આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર રાજ્ય સરકારના તમામ વિભાગો, જાહેર સાહસો, તમામ કોર્પોરેશનો અને સ્થાનિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓએ તેમના દ્વારા સંચાલિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંકના ખાતા બંધ કરીને જમા રકમ ઉપાડી લેવી જોઈએ. તરત જ પરત કરવું પડશે.

SBI દેશની સૌથી મોટી સરકારી બેંક છે
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી વિભાગોની મોટાભાગની નાણાકીય કામગીરી આ બે બેંકો સાથે થઈ રહી છે. વાસ્તવમાં, SBI દેશની સૌથી મોટી સરકારી બેંક છે અને તેની માર્કેટ મૂડી 7.17 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે પંજાબ નેશનલ બેંક બીજી સૌથી મોટી સરકારી બેંક છે અને તેનું બજાર મૂલ્ય 1.25 લાખ કરોડ રૂપિયા છે

Most Popular

To Top