National

500 વર્ષના લાંબા વનવાસ બાદ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પધાર્યા, પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન

અયોધ્યા: 500 વર્ષના લાંબા વનવાસ બાદ આખરે પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પરત આવ્યા છે. આજે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રભુ શ્રી રામની મૂર્તિમાં પ્રાણ પૂર્યા હતા. મોહન ભાગવત, યોગી આદિત્યનાથ, આનંદીબેન પટેલની હાજરીમાં ગર્ભગૃહમાં વડાપ્રધાને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરી હતી. આ અવસરના કરોડો હિન્દુ સાક્ષી બન્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી. મૂર્તિની આંખો પરથી પટ્ટી ખોલી. હાથમાં કમળ લઈ વડાપ્રધાન પ્રભુશ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાને આરતી ઉતારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આ ભવ્ય અને દિવ્ય સમારોહના સાક્ષી સમગ્ર દેશ બન્યો છે. દરમિયાન અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બોલીવુડ, ક્રિકેટ અને ઉદ્યોગ જગતના દિગ્ગજો જોડાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંદીની છત્રી લઈને રામ મંદિરના ગર્ભગૃહ પહોંચ્યા છે. આ સાથે જ જીવન અભિષેક વિધિ પણ શરૂ થઈ ગઈ છે. આ વિધિમાં વડાપ્રધાન મોદી સાથે આરએસએસના મોહન ભાગવત અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ જોડાયા છે. આખરે શ્રી રામ મંદિરમાં બિરાજમાન થયા છે. પ્રભુની પહેલી તસવીર સામે આવી છે.

આખરે તે સમય આવી ગયો છે જ્યારે રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં નિવાસ કરવા જઈ રહ્યા છે. તેથી જ અયોધ્યા શહેર હજારો ક્વિન્ટલ ફૂલોથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસર પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપી સીએમ યોગી સહિત સંત સમાજ અને VIP લોકોની હાજરીમાં રામ લલ્લાના શ્રીવિગ્રહનો અભિષેક કરવામાં આવશે. 14 યુગલો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના યજમાન હશે. એક દિવસ પછી એટલે કે 23 જાન્યુઆરીથી મંદિર સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે.

તમને જણાવી દઈએ કે મૈસુરના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજે ભગવાન રામની ઐતિહાસિક પ્રતિમા બનાવી છે. નવી 51 ઇંચની મૂર્તિ ગુરુવારે મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવી હતી.

Most Popular

To Top