SURAT

જો સુરત પાલિકા આ કામ કરે તો અલથાણ-ભટાર રોડ પર મેટ્રોને લીધે થતો ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય

સુરત: સુરત શહેરમાં સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં જ્યાં ને ત્યાં મેટ્રો રેલની કામગીરીને લઈ બેરીકેડ લગાવી દેતા ઘણાં રસ્તાઓ સાંકળા થઈ જતા તો કેટલાક રસ્તાઓ તો બંધ જ થઈ જતા લોકોને ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અલથાણ ભટાર રોડ પર મેટ્રોની કામગીરીને લઈ બેરીકેડ તાણી બંધાયા છે જેના કારણે રસ્તો એટલો સાંકળો થઈ ગયો છે અહીં ટ્રાફિકજામની સમસ્યા વકરી ગઈ છે. ત્યારે અલથાણ ભટાર રોડ પર સીએનજી પંપ પાસે સુરત મનપાનું બસ સ્ટેન્ડ આવેલું છે જ્યાં મેટ્રોની કામગીરીને લગતા સાધનો મુકવામાં આવ્યા છે જો આ બસસ્ટેન્ડ તોડી પાડવામાં આવે તો ટ્રાફિક સમસ્યામાં થોડી રાહત થઈ શકે તેવી માંગ કોંગ્રેસના માજી વિપક્ષી નેતા બાબુ કાપડીયાએ માંગ કરી છે.

  • મેટ્રોના કારણે અલથાણ-ભટાર પર થતો ટ્રાફિક જામ રોકવા મનપાનું બસસ્ટેન્ડ તોડી પાડવા રજૂઆત
  • કોંગ્રેસના માજી વિપક્ષ નેતા બાબુ કાપડીયાએ માંગણી કરી કેમકે અહીં અવરજવર માટે રસ્તો એટલો સાંકળો થઈ જાય છે કે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે સીટીબસ અને બીઆરટીએસ દોડાવવામાં આવી રહી છે. શહેરમાં મનપા દ્વારા ઠેકઠેકાણે બસ સ્ટેન્ડ તો બનાવી દેવાયા હતા પણ કેટલાક બસ સ્ટેન્ડ ધુળ ખાઈ રહ્યા છે અને દબાણોના સ્થળ બની રહ્યા છે. ઘણા બસ સ્ટેન્ડ પર લોકો ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. હાલ મેટ્રોની કામગીરીને લઈ અલથાણ ભટાર રોડ પર સીએનજી પંપ પાસે આવેલું બસ સ્ટેન્ડ મેટ્રોનો સામાન મુકવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે ત્યારે આ બસ સ્ટેન્ડ તોડી પાડવા માટે કોંગ્રેસના માજી વિપક્ષી નેતા બાબુ કાપડીયાએ માંગ કરી છે. તેમજ તેઓએ મેટ્રો રેલના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર, સુરત મનપા અને ટ્રાફીક પોલીસનું સંકલન હોવું જરુરી છે તેવો મુદ્દો ઉઠાવ્યો છે.

મેટ્રોની આ કામગીરીને કારણે હવે વોલસિટીમાં વસતા સુરતીઓ અને દુકાનદારોનો બરાબરનો મરો
મેટ્રોની કામગીરીને પગલે મહિધરપુરા પોસ્ટ ઓફિસથી ટાવર સુધીનો રાજમાર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગમાં મહિધપુરા પોસ્ટ ઓફિસથી ટાવર સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવતાં દુકાનદારો પોતાના વાહનો પાર્ક કરવા માટે પણ ફાંફાં મારવા પડ્યા હતા. રાજમાર્ગ બંધ થતા લોકોને હાલ દિલ્હીગેટથી મોતી ટોકિઝ થઈને ઝાંપા બજાર વાયા ટાવરનો રસ્તો રાહદારીઓને ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જ્યારે ભાગળ ચાર રસ્તાથી સ્ટેશન તરફ જતાં વાહન ચાલકોને રૂવાલા ટેકરાથી ગલેમંડી ચાર રસ્તા થઈ દિલ્હી ગેટના રસ્તાનો ઉપયોગ કરવા માટે જણાવાયું છે. પરંતુ આ રસ્તાઓ પર પણ દબાણની સમસ્યાને કારણે ખુબ જ હાલાકી થશે તે વાતમાં કોઈ શંકા નથી. તેમજ હવે 14 મી માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે આ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ચિંતામાં મુકાયા છે.

ચોકબજાર અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે ટનલ બનાવવા ટીબીએમના પાર્ટસ ઉતારાયા
સુરત : સુરત શહેર માટે અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની કામગીરી પૂરઝડપે આગળ વધી રહી છે. શહેરમાં કુલ 42 કિ.મી.ના મેટ્રો રેલ એલિવેટેડ તેમજ અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. શહેરમાં પ્રથમ ફેઝમાં 6.47 કિ.મી.નો રૂટ અંડરગ્રાઉન્ડ બનશે. જે માટે જીએમઆરસી દ્વારા ટનલ બોરિંગ મશીનની મદદથી ટનલ બનાવવામાં આવી રહી છે. હાલ ગુલેમાર્ક એજન્સી દ્વારા કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધી (1.2 કિ.મી) માટેની ટનલ બનાવવા માટે એક ટીબીએમ મશીન સપ્ટેમ્બર માસમાં ઉતારી દીધું હતું. બીજા ટ્રેક માટે આ ટનલની બાજુમાં અન્ય ટનલ માટે બીજુ ટીબીએમ મશીન પણ ઉતારી દેવાયું છે. તેમજ હવે જે.કુમાર ઈન્ફ્રા દ્વારા ચોકબજાર ખાતે ટીબીએમ મશીનના પાર્ટસ ઉતારવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

Most Popular

To Top