આદિવાસીઓ સુખી હતા

આંદામાનના એક ટાપુના અને આફ્રિકાના આદિવાસીઓ આપણા કરતા પણ સુખી છે. તેઓ એટલા બધા દુન્યાથી પ્રલોભ નથી અલિપ્ત છે કે બહારના આગંતુકને સખ્ત પ્રવેશ બંધી છે. જોગાનું જોગ આ લોકોના પ્રદેશમાં, ઉપરથી વિહરતા પ્લેનના પાયલોટે કોકોકાલાની કાચની બાટલી અજાણતા જ નાંખી કુતુહલવશ ગામના આદિવાસીઓ આ ચકચકિત પદાર્થના સંપર્કમાં આવ્યા તેનો ઉપયોગ વનસ્પતિ છુંદવામાં, સાપને બાટલીમાં પુરવા, કંદમુળને લસોટવામાં વિગેરેમાં ઉપયોગ કરવા લાગ્યા. બીજા લોકો આ અચાનક મળેલી સગવડથી વંચિત રહી ગયા. અહિથી પ્રલોભનોની શરૂઆત થઇ, વસ્તુ એક આકર્ષણ અને ઉપયોગ અનેક વંચિત રહી ગયેલાં આદિવાસીઓ આ ચીજ મેળવનાર પર કબ્જો જમાવવા હિસંક હુમલા કરાવ લાગ્યા આથી નારાજ થયેલા કબીલાના મોવડીએ નક્કિ કર્યું કે ન બજેગા બાંસ ન બજેગી વાંસૂરી, લડાઇ, ઝગડા અને કબ્જો મેળવવા આ એક જ ચીજ સર્વે દુખાનું મૂળ છે. નિરાકરણરૂપે આ અચાનક મળેલી ચીજ (બાટલી)ને દરિયામાં દુર સુધી ઘા કરી, કજીયાના મૂળને દૂર કરી, પ્રાથમિક અવસ્થાના સુખ શાંતિના માહોલમાં પાછા ફર્યા.
રાંદેર                   – અનિલ શાહ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top