Madhya Gujarat

સીઆરપીએફમાં નોકરી કરતા જવાનનું અકસ્માતમાં મૃત્યુ

દાહોદ: ફતેપુરા તાલુકાના બલૈયા ગામના સી આર પીએફ માં નોકરી કરતા અકસ્માતે મૃત્યુ થતા નગરમાં ગમગીની છવાઈ માદરે વતન બલૈયા મુકામે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવેલ હતી લશ્કરના જવાનો ફતેપુરા પીએસઆઇ પીઆઇ પોલીસ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અંતિમ વિધિમાં હાજર રહ્યા હતા.

ફતેપુરા તાલુકાના બલૈયા ગામે રહેતા અને ગાંધીનગર મુકામે સીઆરપીએફ નોકરી કરતા લશ્કર ના જવાન માર્ગ અકસ્માતના મૃત્યુ થતા બલૈયા ગામે ગમગીની છવાઇ જવા પામી હતી તાલુકાના બલૈયા ગામે વસવાટ કરતા ભરતભાઈ બાપુભાઈ પ્રજાપતિ સીઆરપીએફ માં નોકરી કરતા હતા તેઓનું ગાંધીનગર મુકામે માર્ગ અકસ્માતમાં આકસ્મિક મૃત્યુ થતાં તેઓના કુટુંબીજનોમાં અને બલૈયા ગામે ગમગીની સાથે માતમ છવાઈ જવા પામ્યો હતો મૃત્યુ પામેલા ભરતભાઈ બાપુભાઈ પ્રજાપતિ ની અંતિમ વિધિ માટે તેઓની લાશ ને માદરે મુકામે લાવવામાં આવતા નગરના નાના મોટા ઈસમોની આંખોમાં આસુ જોવા મળતા હતા.

Most Popular

To Top