Vadodara

નળવાઈથી પાવાગઢ પગપાળા જતા ગ્રુપને રોઝમ ખાતે અકસ્માતમાં 3 ના મોત

દાહોદ: દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકાના નળવાઇ ગામનો એક સંઘ પગપાળા પાવાગઢ જવા માટે માતાજીનો રથ લઈને નીકળ્યો હતો પરંતુ રસ્તામાં અકસ્માત નડતા ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે માતાજીના રથ ને પણ નુકસાન થયું છે. જેમાં ગરબાડા તાલુકાના નળવાઈ ગામનો એક 25 થી 30 લોકોનો સંઘ તારીખ 16 ના બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ પગપાળા પાવાગઢ માતાજી નો રથ લઈને જવા માટે વાયા ગરબાડા થી દાહોદ થઈને નીકળ્યો હતો જે સંઘ ને રાત્રિના સમયે રોઝમ ખાતે અજાણ્ય વાહને ટક્કર મારતા અકસ્માત થયો હતો.

જે અકસ્માતની ઘટનામાં નળવાઇ ગામના રતન કમજી મોહણીયા અને મુકેશ બદીયા સંગાડા ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે માતાજીના રથને પણ નુકસાન થયું છે ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઉલ્લેખની એ છે કે પાવાગઠ જતા પગ પાળા સંઘમા ત્રીજા યાત્રિનું પણ મોત એમ.પી.ના મોટી પોળ ગામના રસુલભાઈ ચંદુભાઈ વસુનીયા જેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવેલ ત્યાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું આમ ત્રણે પદયાત્રિઓનું મુત્યું થયું હતું.

Most Popular

To Top