Gujarat

સુરત મનપામાં કોરોનાના નવા 8 સહિત રાજ્યમાં વધુ 24 કેસ

રાજ્યમાં મંગળવારે સુરત મનપામાં 8 અને વલસાડમાં 4 નવા કેસ સાથે કુલ 24 કેસ નોંધાયા છે. તો વળી વધુ 18 કોરોના દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં 8,15,666 દર્દીઓ સાજા થયા છે. નવા નોંધાયેલા કેસમાં સુરત મનપામાં 8, વલસાડમાં 4, અમદાવાદ મનપામાં 3, સુરત ગ્રામ્ય, નવસારી, વડોદરા મનપામાં 2-2, જ્યારે ગાંધીનગર મનપા, જામનગર ગ્રામ્ય, રાજકોટ મનપામાં 1-1 નવા કેસ નોંધાયા છે. તો વળી, કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 148 છે, જેમાંથી 05 વેન્ટિલેટર પર અને 148 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં મંગળવારે 25 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 2,040ને બીજો ડોઝ તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 41,794 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 44,174ના વ્યક્તિને બીજો ડોઝ જ્યારે 18-45 વર્ષ સુધીના 1,14,839 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,12,941ને બીજો ડોઝ મળી આજે કુલ 3,15,813 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,03,36,757 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top