Gujarat

રાજ્યમાં કોરોનાની પકડ ઢીલી પડી, નવા 2230 કેસ, 29 દર્દીઓનાં મૃત્યુ

રાજ્યમાં કોરોનાની દિવસે દિવસે પકડ ઢીલી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 2230 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 29 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં આજે સુરત મનપામાં 2, અમદાવાદ મનપામાં 6, રાજકોટ મનપામાં 2, વડોદરા મનપામાં અને ગ્રામ્યમાં 2-2, સુરત ગ્રામ્યમાં 3, પોરબંદર- પંચમહાલ- મહિસાગર- સાબરકાંઠા-ગાંધીનગર ગ્રામ્ય- અમદાવાદ ગ્રામ્ય- ભાવનગર- છોટાઉદેપુર- જામનગર મનપા- જૂનાગઢ મનપામાં 1-1 મળી કુલ 29 દર્દીઓના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9790 થયો છે. બીજી તરફ આજે 7,109 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,57,124 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા દર 93.98 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 281, સુરત મનપામાં 184, વડોદરા મનપામાં 294, રાજકોટ મનપામાં 126, ભાવનગર મનપામાં 21, ગાંધીનગર મનપામાં 22, જામનગર મનપામાં 51 અને જૂનાગઢ મનપામાં 42 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 75, વડોદરા ગ્રામ્યમાં 139, ભરૂચમાં 72, બનાસકાંઠામાં 53, જામનગર ગ્રામ્યમાં 37, રાજકોટ ગ્રામ્યમાં 58 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 38,703, વેન્ટિલેટર ઉપર 544 અને 38,149 દર્દીઓ સ્ટેબલ છે. જેમાં આજે 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 1,16,117, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના બીજો ડોઝ 30,253, જ્યારે પ્રથમ ડોઝ 39,548 તેવી જ રીતે હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ 6,169 અને બીજો ડોઝ 5,906 મળી કુલ 1,97,993 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,67,11,233 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top