Gujarat

રાજ્યમાં કોરોનાના નાબૂદ થવાને આરે, નવા 123 કેસ : ત્રણના મોત

રાજ્યમાં કોરોનાના નવા કેસ દિવસે દિવસે ઘટી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 27 અને સુરત મનપામાં 15 સહિત રાજ્યમાં કુલ 123 નવા કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ મનપા, જામનગર મનપા અને ગીર સોમનાથમાં એક-એક મળી ત્રણ મૃત્યુ નોંધાયા છે. આજે રાજ્યમાં 14 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

આજે નવા 123 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપા 27, સુરત મનપામાં 15, સુરત ગ્રામ્યમા 11, વડોદરા મનપામાં 14, આ સિવાય વડોદરા ગ્રામ્ય, જામનગર મનપા, અમરેલી, કચ્છમાં ત્રણ ત્રણ, રાજકોટ મનપા અને વલસાડમાં છ-છ, બનાસકાંઠા, ગીર સોમનાથમાં પાંચ-પાંચ, સહિત નવા 123 કેસ નોંધાયા હતા.

જ્યારે તાપી, નર્મદા, સુરેન્દ્રનગર, પોરબંદર, પાટણ, મોરબી, મહિસાગર, દેવભૂમિ દ્વારકા, દાહોદ, છોટાઉદેપુર ડાંગ, બોટાદ, ભાવનગર મનપા-ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્ય સહિત 14 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 4,116, થઈ છે. 38 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, અને 4,078 દર્દીઓ સ્ટેબલ છે.
આજે 431 દર્દીઓ સાજા થતાં સજા થવાના દરમાં સતત વધારો થઈ સાજા થવાનો દર 98.28 ટકા થયો છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,08,849 દર્દીઓ સાજા થયા છે.

વધુ 3,58,332 વ્યક્તિને રસી આપવામાં આવી

4,448 હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ, 15,550ને બીજો ડોઝ, 18 થી 45 વર્ષ સુધીના 1,95,962 વ્યક્તિઓનો પ્રથમ ડોઝ, 14,454 વ્યક્તિેન બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 73,345 વ્યક્તિને પ્રથમ ડોઝ, 54,573 વ્યક્તિને બીજો ડોઝ અપાયો હતો, આમ કુલ 3,58,332 વ્યક્તિઓને રસી પવામાં આવી હતી. અત્યાર સુધીમાં 2,42,60,703 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top