Vadodara

11 વર્ષથી જગન્નાથજીની રોબો યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આજે 12મી રોબો યાત્રાનું આયોજન કરાયું

છેલ્લા 11 વર્ષથી વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રોબો યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશ્વ શાંતિ, વિશ્વ કલ્યાણ અને વિજ્ઞાનના વિવેકપૂર્ણ ઉપયોગ માટે, 11 વર્ષથી રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો 12મો કાર્યક્રમ આજે યોજાયો હતો. આ રોબો રથયાત્રામાં પરંપરા અને ટેકનોલોજી અને વિજ્ઞાન અને સંસ્કૃતિનો સમન્વય દર્શાવવામાં આવ્યો હતો.

જગન્નાથ પુરીની રથયાત્રામાં કુલ ત્રણ રથ છે, આ રીતે વડોદરાના પાર્થ મકવાણાએ પણ ત્રણ રોબોટ તૈયાર કર્યા છે જે જગન્નાથ પુરીના રથ જેવા જ દેખાય છે.

Most Popular

To Top