Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 255 કેસ, સમગ્ર રાજ્યમાં હવે 26 દર્દીઓ જ વેન્ટિલેટર પર

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 255 કેસ નોંધાયા હતાં. આજે રાજ્યમાં કોરોનાથી એક પણ મૃત્યું નોધાયું નથી. આજે 495 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,57,968 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર 97.65 ટકા રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 47, સુરત મનપામાં 30, વડોદરા મનપામાં 40, રાજકોટ મનપામાં 33, ભાવનગર મનપામાં 0, ગાંધીનગર મનપામાં 4, જામનગર મનપામાં 5 અને જૂનાગઢ મનપામાં 2 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 1,800 વેન્ટિલેટર ઉપર 26 અને 1774 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં આજે કુલ દસ જિલ્લાઓ-મનપામાં એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં આજે કુલ 883 કેન્દ્રો ઉપર 53,615 વ્યકિતઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 7,14,131 વ્યકિતઓનું રસીકરણ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top