હાલોલ: હાલોલ નગર ખાતે નગર પ્રતિ વર્ષે યમુના કેનાલ ધ્વારા આવતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે તે યમુના કેનાલને સફાઈ કરવામાં આવે છે. જે અંતર્ગત આજે હાલોલ નગર પાલિકા દ્વારા લીમડી ફળિયા અને જૈન મંદિર ખાતેથી પસાર થતી યમુના કેનાલની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમા એક હિટાચી મશીન અને એક જીસીબી ધ્વારા વર્ષ દરમ્યાન એકત્રિત થયેલા કચરાની સફાઈ હાથ ધરવામાં આવી છે.

ચોમાસામાં વરસાદી પાણી પાવાગઢ થઈ યમુના કેનાલ થઈ હાલોલ નગરમાં આવે છે. જેનાથી ગામ તળાવ ભરવામાં આવે છે. તે ઉપરાંત વધારાનું પાણી યમુના કેનાલ ધ્વારા થઈ વિશ્વામિત્રી કોતરમાં ભેગું થાય છે. જે માટે અગમચેતીના ભાગરૂપે પ્રતિવર્ષે આ કેનાલ ને યોગ્ય સફાઈ કરવામાં આવે છે. જો સફાઈ કરવામાં ન આવે તો પાણી અટકી જઇ રહેણાક વિસ્તારના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના બનાવો બને છે. જેને કારણે તે વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે.