રસ્તાઓ પર ઠેર ઠેર ગટરના પાણી રેલાયા, સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠા છેલ્લા 11 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાના કારણે નગરજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે, સયાજીગંજના પરશુરામ ભઠ્ઠા જ્યા જુઓ ત્યા રસ્તા ઉપર ગટરનુ ગંદુ પાણી ફરી વળતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થવા પામી છે.

વડોદરા શહેરના વોર્ડ નં 12 સયાજીગંજના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમા છેલ્લા 11 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. આ વિસ્તારના લોકો દ્વારા પાલિકાની વોર્ડ કચેરી, કાઉન્સિલરો સહિતના અધિકારીઓને અનેક વાર લેખીત તેમજ મૌખિક રજૂઆત કરી છે, પરંતુ તેમ છતાં પણ આજ દિન સુધી તંત્ર દ્વારા આ સમસ્યાનુ કોઈ જ નિરાકરણ કરવામા નહીં આવતા સ્થાનિક રહીશોમાં તંત્રની કામગીરી સામે રોષની લાગણી ફેલાઇ છે.
સ્થાનિક નગરજનોએ ભૂગર્ભ ગટરના પાણી લીકેજનુ સમારકામ કરવા માટે એનકવાર રજૂઆત કરવા છતાં કાઉન્સિલરો અને અધિકારીઓ નું પેટનું પાણી પણ હાલતું નથી. સ્થાનિકો જ્યારે આ બાબતે રજૂઆત કરવા જાય છે ત્યારે ઉડાવ જવાબ આપવામાં આવતા હોવાનો પણ આક્ષેપ લોકો કરી રહ્યાં છે.

સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાના પબ્લીકથી ધમધમતા સતત અવર જવર વાળા વિસ્તારમા ગટરનુ દુર્ગંધ મારતુ પાણીના રોડ પર ફરી વળતા તેમજ રોડના ખાબોચીયાઓમા ભરાઈ રહેવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઇ છે. આજુબાજુના લોકોને દુર્ગંધવાળા પાણીના ખાબોચિયા માંથી નાક બંધ કરીને પસાર થવા મજબૂર બનવુ પડે છે. ભૂગર્ભ ગટર ઉભરાતા દૂષિત ગંદુ પાણી ખાડા ખાબોચીયા મા ભરાઈ રહેવાના કારણે મચ્છરનો ઉપદ્રવ થયો છે. જેના કારણે મચ્છર જન્ય રોગચાળો ફેલાય તેવી દહેશત વિસ્તારમાં ફેલાઈ છે. મચ્છરના ઉપદ્રવના કારણે આ વિસ્તારના બાળકો વારંવાર બિમાર પડતા હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે. રસ્તા પર ગટરનું ગંદુ પાણી ફરી ભરાઈ રહ્યું છે ઠેર ઠેર કચરાના ઢેર જોવા મળી રહ્યા છે. જેના લીધે દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે. જેના કારણે આસપાસના વસવાટ કરતા સ્થાનિકો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોને ગંદા પાણી અને કચરા વચ્ચે પસાર થવું પડે છે.

સરકાર દ્વારા સ્વછતા જાળવવા માટે અભિયાન ચલાવવામા આવી રહ્યું છે, ત્યારે સયાજીગંજના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં
ઠેર ઠેર રસ્તા પર વહેતા ગટરનું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે. ગંદુ પાણી રોડ પર વહેતુ જોવા મળી રહ્યું છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પાણીનો નિકાલ કરવા મા આવતો નથી. સ્કૂલ જતા વિદ્યાર્થીઓને ગટરના ગંદા પાણીમાં ચાલી ને જવું પડે છે જયારે અમુક સમયે ગાડી પસાર થાય તયારે ગંદુ પાણી ઉડવાથી વિદ્યાર્થીના કપડાં પણ બગડતા હોય છે અનેક વખત રજુઆત કરી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પરંતુ સફાઇ ની કામગીરી કરવામાં આવી ન રહી હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે.
