Dahod

સંસ્કૃત ભારતી દાહોદ તરફ થી ૧૦ દિવસીય સંસ્કૃત સંભાષણ વર્ગ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે પૂર્ણ થયો





દાહોદ તા.૨૪

સંસ્કૃતભારતી દાહોદ જનપદ દ્વારા દસ દિવસીય સંસ્કૃત સંભાષણ શિબિર અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું દાહોદ શહેરના મંડાવાવ રોડ ખાતે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ તારીખ 15 એપ્રિલથી તારીખ 25 મી એપ્રિલના કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સવારે 8:00 થી સવારના 10 કલાક સુધી પ્રતિદિન બે કલાકના સમયગાળા દરમિયાન આ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં માત્ર ૧૦ દિવસમાં જ નિઃશુલ્ક સંસ્કૃત બોલતા શીખવે છે. આ કાર્યક્રમમાં 42 જેટલા શિબિરાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમના અંતિમ દિવસે એટલે કે કાર્યક્રમના સમાપનના દિવસે કાર્યક્રમમાં વિશેષ રૂપે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top