Vadodara

વાઘોડિયામાં વધારે માત્રામાં દારૂ પીધા બાદ ત્રણ બાળકોના પિતાનું મોત

વડોદરા , ૨૧

વાઘોડિયા વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષીય પુરુષનું વધારે માત્રામાં દારૂ પી જવાથી સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. જોકે આ બાબતે જરોદ પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.

દેશી દારૂના બંધાણી એવા ૩૬ વર્ષીય ભાલીયા ગણપતભાઈ બે દીકરી , દીકરો અને પત્ની સાથે રહેતા હતા.  ગત તા. ૧૫ મેં નારોજ રાત્રી દરમ્યાન વધારે માત્રામાં દારૂ પીધા બાદ તે પોઈઝનમાં પરિવર્તિત થઇ જતા તેઓ સવારે ઉઠ્યા ન હતા. જેથી પરિવારજનો દ્વારા તેઓને તાત્કાલિક સારવાર માટે જરોદ સી.એચ.સી. સેન્ટરમાં લઇ ગયા હતા. જ્યાં વધુ સારવાર માટે સયાજી હોસ્પીટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં આજે તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે તેમના મૃત્યુ બાબતે હોસ્પિટલ વર્ધી અનુસંધાને તેઓએ ખેતરમાં નાખવાની દવા પી ને મૃત્યુ પામ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે પરિવારજનો દારૂથી મૃત્યુ પામ્યા હોવાનું જણાવી રહ્યા છે ત્યારે આ બાબતે જરોદ પોલીસ મથકમાં ગુનો નોધીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top