Vadodara

વડોદરા: સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાવર સપ્લાયમાં ખામી સર્જાતા ડી.જી. સેટ ગોઠવી પંપીગ સ્ટેશનો કાર્ય૨ત કરાયા




વિવિધ વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના ધારે તરાપા મૂકવામાં આવ્યા :




( પ્રતિનિધિ ) વડોદરા,તા.25

વડોદરા શહેરમાં ગત તા.૨૪ના રોજ વરસાદને કારણે સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યા અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ભરાઈ જવાથી નાગરિકોને બચાવ અને રાહત કામગીરી માટે વડોદરા મહાનગરપાલિકાની વિવિધ ટીમો કામગીરી કરી રહી છે.

વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદે વિરામ લીધાબાદ આજવા સરોવરની સપાટી ઘટી છે. જેને લઈ યોગ્ય રીતે પાણીનો નિકાલ થઈ રહ્યો છે. હાલ દશામાં તળાવ અને ગોરવા તળાવમાં પાણીના લેવલમાં ઘટાડો થયેલ છે. અને રૂપારેલ કાંચનુ લેવલ માં ઘટાડો થયેલ છે. અને પાણીનો નિકાલ ઝડપથી થઈ રહેલ છે. પૂર્વ ઝોનમાં ફતેપુરા, હિરા શકિત મોહલ્લો, રામાપિર મોહલ્લો, રાજીવનગર,એકતા નગર,અને કુભારવાડા વિસ્તારના લોકોને વિરભગતસિહ સ્કુલ, ઈન્દુલાલા સ્કુલ, પશ્ચિમ ઝોનમાં દક્ષામાં તળાવ,બીલ તળાવ,રણજીત નગર,અકોટાગામ, કલાલીગામ, મુજમહુડાના નાગરિકોને બિન પ્રાથમિક શાળા, સિ.કે પ્રજાપતી સ્કુલ, ઉતર ઝોનમાં પેન્શનપુરા, નવિનગરી,જલારામનગર વસાહતદક્ષિણ ઝોનમાં હનુમાન ટેકરી, વડસર સહીતના વિસ્તારમાંથી ૪૨૦૦ થી વધુ નાગરીકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. વડોદરા શહે૨માં કાલાઘોડા, જેતલપુર પંપીગ સ્ટેશન, ગાજરાવાડી, સરદાર એસ્ટેટ, માંજલપુર, લક્ષ્મીપુરા,ન્યુ ઠરણી, આયોધ્યાનગર ખાતે આવેલ સુએઝ પંપીગ સ્ટેશનો, ભાયલી, રાજીવનગર, કપુરાઈ, ગાજરાવાડી ચુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાવર સપ્લાયમાં ખામી સર્જાતા ડી.જી. સેટ ગોઠવી પંપીગ સ્ટેશનો કાર્યરત કરાયા છે.વિહારકુંજ સોસાયટીઅને કાશી વિશ્વનાથ મંદિર પાસે હંગામી ઘોરણના પંપીગ સ્ટેશન ડી.જી. સેટથી કાર્યરત કરાયા છે. મહાનગર અને ડભોઈ રોડ પાસે આવેલ કાંસ ઉપરના પંપીગ સેટને ચાલુ ક૨વામાં આવ્યા છે.ઉપરાંત વિવિધ પંપીગ સેટને RCC ફાઉન્ડેશન ઉપર શિફ્ટ કરવામાં આવેલ છે.સમા- છાણી માર્ગની સફાઇ, નિઝામપુરા પાસે પાસે રોડ પર પડેલ ભુવાનું બેરિકેટિંગકરી બંધ ક૨વામાં આવેલ છે.જુની ઉર્મિ બ્રિજ પારો વિશ્વામિત્રી નદીમાં JCB મશીન વડે નદીનું વહેણ યથાવત કરવામાં આવ્યું હતું. ગાજરાવાડીમાં મકાન પડતા કાટમાળ હટાવવાની કામગીરી વરસાદ બંધ થતા વિવિધ માર્ગો પર વેટમિક્ષ વડે ખાડા પૂરવામાં આવ્યા હતા.વિવિધ વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના ધારે તરાપા મૂકવામાં આવ્યા હતા. પેન્શનપુરા વિસ્તારમાં ડિવોટરીંગ પંપીગની કામગીરી શરૂ કરાઇ હતી. વડોદરા મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારાગોરવા તળાવ, વાસણા તળાવ, સેવાસી તળાવ, તાંદલજા તળાવ, વડસર તળાવ, કાશીવિશ્વનાથતળાવ તથા વિશ્વામિત્રી નદીના કિનારા ઉપર આવેલ નિચાણવાળા વિસ્તારોમાં વધારાની લાઈટીંગની કામગીરી ક૨વામાં આવી. MGVCL સાથે સંકલનમાં રહીને સ્ટ્રીટલાઈટની સેવાઓ સતત ચાલુ રહે તે માટે પડી ગયેલા પોલ ઉભા કરવા, વીજતાર તથા સ્વીચીંગ બોક્સનું સમારકામ, તથા અન્ય કામગીરી ક૨વામાં આવ્યું હતું. ગુરુવારે સવારથી સાંજ સુધીમાં ૬૦૦૦ નંગ જેટલા ફૂડ પેકેટનું આશ્યકેન્દ્રમાં તેમજ ૨૦૦૦ નંગ ફૂડ પેકેટ અન્ય સ્થળો ૫૨ તેમજ ૨૦૦૦ નંગ ફૂડ પેકેટ અસરગ્રસ્ત વિસ્તારમાં મળી કુલ ૧૦૦૦૦ નંગ ફૂડ પેકેટનું વિત૨ણ ક૨વામાં આવ્યું હતું.

Most Popular

To Top