વડોદરા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં સહભાગી થવા ગુજરાત આવ્યા છે. તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં જવા રોડ માર્ગે રવાના થયા હતા. તેઓ ત્યાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.ખરાબ હવામાનને કારણે તેઓ હેલિકોપ્ટરને બદલે રોડ માર્ગે કેવડિયા જવા રવાના થયા હતા.
વડોદરા એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પિન્કીબેન સોની, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, કલેક્ટરે ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકાર્યા હતા.