વડોદરા: પૂર બાદ મોડેથી શરૂ થયેલ કાલાઘોડા બ્રિજના રીપેરીંગ કામ ચોમાસાની શરૂઆતમાં તેજીથી ચાલુ કરાયું છે. શહેરના મુખ્ય ભાગોને જોડતો આ ઐતિહાસિક બ્રિજ તૂટફૂટની સ્થિતિમાં હોવાથી પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ રહી છે.

વડોદરામાં વિશ્વામિત્રી નદી ઉપર ઐતિહાસિક અને હેરિટેજ સમાન કાલાઘોડા બ્રિજનું રીપેરીંગ કામ પૂર બાદ મોડેથી, પરંતુ ચોમાસાની શરૂઆતમાં શરૂ કરાયું છે. આ બ્રિજ શહેરના મુખ્ય બે ભાગોને જોડતો હોવાથી તેની હાલત ખરાબ થતાં પાલિકા તંત્ર તાત્કાલિક બિરીજ રીપેરીંગ માટે કામે લાગ્યું છે.
બ્રિજની દિવાલો પર પ્લાસ્ટર ઉખડવા અને સીલિંગમાં તૂટફૂટ જોવા મળી છે. નદીમાંથી પસાર થતા પ્રદૂષિત પાણીથી બચાવવા માટે બામ્બુથી પાલખ બાંધવામાં આવ્યા છે. આ બ્રિજને હજી લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઇતિહાસમાં, આ બ્રિજ 14મી સદીમાં સુલતાન એહમદ શાહ જે અમદાવાદમાં બેસતા હતા તેઓ દ્વારા બનાવાયેલો કાલાઘોડા બ્રિજ તેમજ માંજલપુરમાં મસ્જિદ સાથે નિર્માણ કરાયું હતું. અને ત્યારબાદ વડોદરાના રાજા ગાયકવાડ દ્વારા ત્રણ વખત પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક બ્રિજની રીપેરીંગ વડોદરા મહાનગરપાલિકાએ હવે જ શરૂ કરી છે.
પાલિકા તંત્ર દ્વારા આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની અને શહેરના આ મહત્વપૂર્ણ બ્રિજને બચાવવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા છે.