Bharuch

ભરુચમાં માનવ અંગો મળવાનો ભેદ ઉકેલાતા હત્યાનો ગુનો દાખલ

ચાર દિવસ બાદ મૃતકની ઓળખ થઇ, ત્રણ દિવસમાં શરીરના ચાર ટુકડા મળ્યા

મૃતક 34 વર્ષીય સચિનકુમાર પ્રવીણસિંહ ચૌહાણની ઓળખ થ

સચિનના ભાઇએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી

ભરૂચ,તા.૧
ભરૂચમાં ગત શનિવારના રોજ ભોલાવ GIDCની ગટરમાંથી એક અજાણ્યા વ્યક્તિનું કપાયેલું ગળું મળી આવતા સૌને કુતુહલ સર્જાયું હતું.બીજા દિવસે (રવિવારે) તેમાંથી થોડેક આગળ તેનું કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો હતો.અને ત્રીજા દિવસે સોમવારે પણ બંને હાથ પણ મળી આવતા કોઈકની હત્યા થઇ હોવાનું લાગી આવ્યું હતું.જો કે પોલીસ હજી તેના છાતી અને પગના અવયવોની તપાસ ચલાવી રહી છે.જયારે મંગળવારે મૃતક કોણ છે એની ઓળખ બહાર આવી હતી.
પોલીસ સુત્રો દ્વારા માહિતી અનુસાર મૃતક ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેદાંત સોસાયટીમાં રહેતો પરપ્રાંતીય 34 વર્ષીય સચિનકુમાર પ્રવિણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે. જેમાં જાણવા મળતી માહિતી મુજબ ગઇ તા-28મી ફેબ્રુઆરીના રોજ સચિન ચૌહાણ તથા તેની પત્ની અને પુત્ર સાથે હોળીના તહેવાર કરવા માટે માદરે વતનમાં ગયા હતા. ત્યારબાદ પત્ની અને બાળકને ત્યાં મુકીને ગત તા-6મી માર્ચ 2025ના રોજ પરત ભરૂચ ખાતે આવ્યો હતો.
આ બાદ 23મી માર્ચે સાંજના આઠ વાગે સચિને તેની પત્નીને ફોન કરીને તેમને લેવા જવાની વાત કરી હતી ત્યારબાદ સચિનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. જેથી સચીનના ભાઈએ તા-28મી માર્ચના રોજ ભરૂચ આવીને તપાસ કરતા તેના ઘરે તાળું મારેલું હતું.ત્યારબાદ તેણે ભરૂચ બસ સ્ટેશન, ભરૂચ રેલ્વે સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, ઝાડેશ્વર, અંકલેશ્વર વિગેરે સ્થળો પર શોધ-ખોળ કરતા તેની કોઇ હકિકત મળી આવેલી ન હોવાથી અમારા સગાં-સબંધીઓને ફોન કરી પુછપરછ કરી હતી. જોકે, ક્યાય ભાઈની કોઈ ભાળ મળી આવી ન હોય સચીનના નાના ભાઈ મોહિતે તેના ભાઈની ગુમ થવાની ફરિયાદ એ ડીવીઝનમાં નોંધાવી હતી. જોકે આ સચિન ચૌહાણના હાથ પરના છુંદણા આદરે મૃતક તરીકે ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ભરૂચ સી ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચની દૂધધારા ડેરી પાસેથી ભોલાવ GIDC તરફ જતી વરસાદી કાંસની ગટરમાંથી ત્રણ દિવસમાં શરીરનાં અંગો મળી આવ્યા હતા.જેના કારણે પ્રાથમિક દ્દષ્ટિએ માલૂમ પડે છે કે, કોઈએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી પોલીસને ગુમરાહ કરવા તેના શરીરનાં અંગો કાપી અલગ-અલગ સ્થળે નાખ્યા હતા.

હત્યા કરનારો તેનો મિત્ર શૈલેન્દ્રસિંગ વિજય ચૌહાણ સામે ગુનો દાખલ

મૃતક સચિનનાં મિત્ર શૈલેન્દ્રસિંગ વિજય ચૌહાણ હાલ રહે-ઇલાબેન બીપીનસિંહ રાજના મકાન નં-E/16,હરિધામ સોસાયટી,તુલસીધામ,ભરૂચ (ઉત્તરપ્રદેશ)એ તેના સાગરીતો મળીને તેઓને ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી.તેઓએ કપડા કાઢીને ધારદાર હથિયાર કે ઓજાર વડે શરીરનાં બેરહેમીથી ટુકડા કરી દઈને પુરાવા નાશ કરવા ગટરમાં ફેંકી દીધા હતા.મૃતકનાં ભાઈ દ્વારા સી ડીવીઝનમાં ફરિયાદ આપતા તેના મિત્ર શૈલેન્દ્રસિંગ વિજય ચૌહાણ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.

Most Popular

To Top