Vadodara

તા.૧ થી ૩ ઓક્ટોબર દરમિયાન ખાનકાહે રિફાઈયા ખાતે 184 માં ઉર્સ-શરીફની ભવ્ય ઉજવણી થશે…

શહેરમાં તા. ૧ થી ૩ ઓક્ટોબર દરમિયાન ખાનકાહે રિફાઈયા ખાતે હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ્મારૂફ અમીરમીયાં રિફાઈ (રહે.) ના 184 માં ઉર્સ-શરીફની થનારી ભવ્ય ઉજવણી કરવામાં આવશે

વડોદરા શહેરમાં દાંડીયા બજાર, બદામડી બાગ સામે આવેલ ખાનકા-હૈ-આલિયા રિફાઈવા ખાતે આગામી તા.1 થી તા.3 મી ઓકટોબર દરમિયાન કોમી એકતાના પ્રતિક સમા કખરૂલ અવલીયા શમસુલ અતકીયા હઝરત મૌલાના પીર સૈયદ કખરૂદ્દીન ગુલામહુસેન અલ-મારૂક અમીરમીયાં રિફાઈ (રહે.) સાહેબના 184 માં ઉર્સ-શરીફની ઉજવણી નિમિત્તે ખાનકાહના સજજાદા નશીન પીર અલ્હાજ સૈયદ કમાલુદીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબની નિગેહબાની હેઠળ આ દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. અને તે અંગેની તમામ તૈયારીઓ હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. આ ઉજવણી પ્રસંગે સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ તેમજ સૈયદ મોઈનુદ્દીન (ઉર્ફે નૈયદરબાબા) રિફાઈ અને સૈયદ હિસામુદ્દીન રિફાઈ સાહેબ અકીદતમંદો-શ્રદ્ધાળુઓને ખાસ આશિવર્ચન પાઠવશે.આ ત્રિદિસીય ઉર્સ ઉજવણીના આયોજન મુજબ તા.01-10-2024ને મંગળવારના રોજ પ્રથમ દિવસે અસરની નમાઝ બાદ ખાનકાહના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર “શાને રિફાઈયા” નો પરચમ લહેરાવવામાં આવશે, અને રાત્રે ઈશાંની નમાઝ બાદ “ઝિકે રિફાઈયા” ની મહેફીલ યોજાશે. બીજા દિવસે તા.02-10-2024ને બુધવાર ના રોજ ફઝરની નમાઝ બાદ મઝારે મુકદ્દસાને ગુસલ આપવામાં આવશે. ત્યારબાદ સાંજે4:00 કલાકે ખાનકાહે આલીયા રિફાઈયા, દાંડીયા બજાર ખાતેથી પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબ સંદલના જુલુસને પ્રસ્થાન કરાવશે. આ જુલુસ શહેરના વિવિધ વિસ્તારો અને રાજમાર્ગો ઉપર ગશ્ત કરતું રાત્રે 11:00 કલાકે ખાનકાહ શરીફમાં પરત ફરશે અને જેમના ઉર્સ-શરીફની ઉજવણી થઈ રહી છે. તે બુઝુર્ગ પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ્મારૂક અમીરમીયાં રિફાઈ સાહેબના મઝાર શરીફ પર પીર સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબ ખાસ હાજરી આપનાર રિફાઈ સિલસિલાના અન્ય બુઝુર્ગોના હસ્તે સંદલ ચઢાવવામાં આવશે. તા. 03-10-2024ને બુધવારે સાંજે 5:00 કલાકે મિલાદ-શરીફના કાર્યક્રમ બાદ હુઝુરે અકરમ રસુલુલ્લાહ (સ.અ.વ.) સાહેબના બાલ-મુબારકની જીયારત તેમજ રિફાઈ સિલસિલાના બુઝુર્ગોના પરંપરાગત પોષાક તથા પીર હઝરત સૈયદ ઝેનુલઆબેદીન રિફાઈ (રહે.) દ્વારા હસ્તલિખિત કુરાન-શરીફ તથા કાબાશરીફના ગિલાક મુબારકના દિદાર કરાવવામાં આવશે. રાત્રે ઈશાંની નમાઝ બાદ રાતીબે રિકાઈના જલ્સા સાથે ઝર્બનો કાર્યક્રમ પણ યોજાશે અને ત્યારબાદ મહેફીલે સમા (કવ્વાલી) ના જલ્સામાં ભારતના મશહુર કવ્વાલો તેમના કલામો રજુ કરશે. અને તા. 04-10-2024ને શુક્રવાર રોજ જુઆ ની નમાઝ બાદ કુલ શરીફ ની રસ્મ અદા કરવામાં આવશે.

Most Popular

To Top