Vadodara

ડાકોરમાં ભવ્ય શોભાયાત્રામાં રામ ભક્તો દ્વારા જય જયકાર કરાયો 

અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીના રોજ ઉજવાશે. આ મહોત્સવ અંતર્ગત પ્રસિધ્ધ તિર્થધામ ડાકોરમાં રામ, લક્ષ્મણ, જાનકીની વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં સંતો-મહંતો, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, સામાજિક સંગઠનો, વ્યાપારી મિત્રો, વિવિધ ભજન મંડળો યાત્રામાં જોડાયા હતા. યાત્રામાં ઢોલ નગારા તેમજ સૌથી પ્રાચિન ભૂંગળ સાથે મોટી મંડળીએ ખાસ હાજર રહીને ભક્તોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રામાં ખુબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતાં. ડાકોરના ઠાકોરની ભૂમિ શોભાયાત્રામાં રામમય બની હતી . ડાકોર પોલીસ વિભાગના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રી રણછોડરાય મંદિરના દ્વારે શોભાયાત્રા પહોંચી હતી. તસવીર ઃ મહેશ શાહ

Most Popular

To Top