Vadodara

ડભોઇ વાઘોડિયા માર્ગ પર દેવ ડેમ ના પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો



ડભોઇ તાલુકાના દંગીવાડા, પ્રયાગપુરા,કરાલીપુરા ગામો વચ્ચે ઢાઢળ નદી મા આવેલ ઘોડાપૂર પાણી અને દેવ ડેમ માંથી છોડાયેલા પાણી ફરી વળતા ડભોઇ વાઘોડિયા માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો.જેથી વાહન ચાલકો ને વાયા સીમળીયા થી ખેરવાડી થઈ વાઘોડિયા જવાનો વારો આવ્યો હતો.
ઉપરવાસ માં પડેલા ધોધમાર વરસાદ ને કારણે ઢાઢર નદી બે કાંઠે થવા પામી હતી. જેથી ડભોઇ તાલુકાના નીચાણવાળા વિસ્તાર ના ગામો જેવાકે દગીવાડા,કરાળીપુરા,પ્રયાગપૂરા અને નારણપુરા જેવા ગામો સંપર્ક વિહોણા થઇ જવા પામ્યા હતા.બીજી બાજુ દેવડેમ માંથી પણ પાણી છોડાતા દેવ નદી પણ ઘોડાપૂર થઈ જવા પામી હતી. ખેતરો અને કોતરો જળબંબાકાર થઈ જતાં ડભોઇ વાઘોડિયા માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો. જેથી વાહન ચાલકો ને વાયા ખેરવાડી થી વાઘોડિયા જવાનો વારો આવ્યો હતો.

ઢાઢર નદી પર બ્રીજ બનાવવાનું કામ ચાલતું હોવાથી ડભોઇ થી વાઘોડિયા જતા વાહનો ને અંતરિયાળ તરસાના થી અથવા તો દંગીવાડા થઈ ડાઈવર્જન અપાયેલું હોવાથી પુરની પરિસ્થિતિ નો ચાલુ સીઝન માં ત્રીજીવાર સામનો કરવાનો વારો આવ્યો હતો.

Most Popular

To Top