Dahod

ઝાલોદ: બે પિતરાઈ બહેનોના તળાવમાં ડૂબી જતાં મોત

દાહોદ :

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે એક તળાવમાં ન્હાવા પડેલા એક સાત વર્ષિય અને અન્ય એક ૧૨ વર્ષિય બે માસુમ પિતરાઈ ભાઈ-બહેન તળાવના ઉંડા પાણીમાં ડુબી જવાના કારણ બંન્ને બાળકોના મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલી પોલીસે બંન્ને બાળકોના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
તા.૧૩મી જુનના રોજ ઝાલોદ તાલુકાના કલજીનીસરસવાણી ગામે મહુડી ફળિયામાં રહેતાં ભવ્યભાઈ સુરેશભાઈ વસૈયા (ઉ.વ.આશરે ૦૭ વર્ષ) અને શ્રૃતિબહેન હીંમતભાઈ વસૈયા (ઉ.વ. આશરે ૧૨ વર્ષ) આ બંન્ને પિતરાઈ ભાઈ-બહેન ગામમાં આવેલ બસ સ્ટેશનની પાછળ તળાવમાં સવારના અગીયારેક વાગ્યાના આસપાસ ન્હાવા ગયાં હતાં. જ્યાં બંન્ને બાળકો ન્હાતા ન્હાતા તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક લોકોને થતાં સ્થાનીક લોકો સ્થળ પર દોડી ગયાં હતાં. ઘટનાની જાણ બાળકોના પરિવારજનોને થતાં તેઓ પણ સ્થળ પર દોડી ગયાં હતાં. સ્થાનીક તરવૈયાઓની મદદથી બંન્ને બાળકોના મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. બંન્ને બાળકોના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. બનાવને પગલે ગામમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંન્ને બાળકોના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.

આ સંબંધે સુભાષભાઈ કશનાભાઈ વસૈયાએ ઝાલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————————-

Most Popular

To Top