Vadodara

કાલોલ પાસે આઇસર બાઇક વચ્ચે અકસ્માતમાં ઘાયલ યુવકનું એસએસજીહોસ્પિટલમાં મોત




(પ્રતિનિધિ) વડોદરા તા. 19

કાલોલ મધવાસ ચોકડી નજીક આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના દોલતપુરા ગામના નરેશભાઇ રમેશભાઇ રાઠોડ નામનો 24 વર્ષીય યુવક ગત તા. 17-10-2024ના રોજ સાંજે અંદાજે સાડા છ વાગ્યાની આસપાસ પોતાની મોટરસાયકલ લ ઇને જતો હતો તે દરમિયાન મધવાસ ચોકડી નજીક એક આઇસર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇકચાલક નરેશને માથામાં પાછળના ભાગે ઇજાઓ પહોંચી હતી અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને પ્રથમ પ્રાથમિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં વધુ સારવારની જરૂર હોય તેને ગત તા.18-10-2024 ના રોજ એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગતરોજ તા.19-10-2024 ના રોજ તેનું SICUસર્જિકલ ડી યુનિટમાં મોત નિપજ્યું હતું જ્યાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top