Vadodara

એડવાન્સમાં મિલકત વેરો ભરશો તો વડોદરા કોર્પોરેશન આપશે 10% વળતર



પ્રતિનિધિ, વડોદરા, તા. ૧૬
વડોદરા મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ રીબેટ (વળતર) યોજના હાલ અમલમાં છે. વર્ષ ૨૦૨૪-૨૫ નો મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરદાતાઓને રહેણાંક મિલકત માટે ૧૦% અને બિન-રહેણાંક મિલકત માટે ૫% વળતર તેમજ બંને કિસ્સામાં ઓનલાઇન પેમેન્ટ ભરનાર કરદાતાઓ માટે વધુ ૧% વળતર ની યોજના અમલમાં મુકેલ છે. આ યોજના તા. ૨૦-૦૭-૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

Most Popular

To Top