હાલમાં ડેમના પાંચ દરવાજા ખોલાયા, બંધના નીચલા વિસ્તારમાં ૫૦,૦૦૦ કયુસેક પાણી વહેશે
વડોદરા જિલ્લાના નીચાણ વાળા વિસ્તારોના ગામોમાં લોકોને સાવચેત રહેવા અપીલ
વડોદરા: ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી આજતા. ૩૧,૦૭,૨૦૨૫, ૧૧: ૩૦ કલાકે સરદાર સરોવર બંધનાં ૦૫ દરવાજા ૨.૦૦ મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૫૦,૦૦૦ કયુસેક પાણી વહેશે. આ જ પ્રમાણે પાણીની આવક રહે તો આવતીકાલ સવારે 8 કલાકથી લગભગ ૨.૮૬ લાખ ક્યુસેક પાણી છોડાવાની જાહેરાત કરવામાં આવી છે.
નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં ૦૫ મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના- સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૮૬,૦૦૦ (૩૬,૦૦૦+ ૫૦,૦૦૦) કયુસેક પાણી છોડવામાં આવશે.
આથી સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
તા. ૩૧/૭/૨૦૨૫
સમય – ૦૧/૩૦ કલાક
મહત્તમ સપાટી – ૧૩૮.૬૮ મીટર
હાલની સપાટી – ૧૩૧.૦૦ મીટર
ગ્રોસ સ્ટોરેજ – ૭૧૫૧.૬૭ MCM
પાણીનો સંગ્રહ – ૭૫.૬૦%
પાણીની આવક – ૪,૨૨,૪૯૫ ક્યુસેક
નદીમાં પાણીની જાવક – ૮૫,૩૬૭ ક્યુસેક
કેનાલમાં પાણીની જાવક – ૪,૧૯૦ ક્યુસેક
છેલ્લા ૨૪ કલાકમાં પાણીની સપાટીમાં ૨.૭૧ સે.મી. નો વધારો
છેલ્લા ૨૪ કલાકમાં પાણીની સપાટીમાં ૬.૫૭% નો વધારો
હાલમાં ડેમના ૫ દરવાજા ૨ મીટર ખુલ્લા
આ જ પ્રમાણે પાણીની આવક રહે તો આવતીકાલ સવારે 8 કલાકથી લગભગ ૨.૮૬ લાખ ક્યુસેક પાણી છોડાવાની જાહેરાત.