ગાંધીનગર: નાણાં મંત્રી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટેના રજૂ કરાયેલા બજેટમાં રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે તેની પણ વિગતો રજૂ કરાઈ છે. આ ઉપરાંત સરકારનો વિકાસલક્ષી ખર્ચ કેટલો રહેશે, તેવી વિગતો નીચે મુજબ છે. આ વર્ષે પણ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ‘વિકાસલક્ષી ખર્ચ’ પર રહ્યો છે, જેમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
રૂપિયો ક્યાંથી આવશે? (આવકના મુખ્ય સ્ત્રોત)
સરકારની તિજોરીમાં સિંહફાળો રાજ્યના પોતાના વેરા અને કેન્દ્રીય સહાયનો છે
રાજ્ય વેરા (SGST સિવાય): ૨૦.૭૯%
રાજ્ય GST: ૧૯.૮૧%
જાહેર દેવું: ૨૪.૭૨% (આવકનો મોટો હિસ્સો દેવા સ્વરૂપે લેવામાં આવશે)
કેન્દ્રીય કરવેરામાં હિસ્સો: ૧૪.૧૫%
બિન-કરવેરા આવક: ૭.૩૭%
કેન્દ્ર સરકાર તરફથી સહાયક અનુદાન: ૫.૦૨%

રૂપિયો ક્યાં જશે ? (ખર્ચનું આયોજન)
વિકાસલક્ષી ખર્ચ: ૬૪.૮૮% (સૌથી વધુ)
બિન-વિકાસલક્ષી ખર્ચ: ૨૨.૨૦%
જાહેર દેવાની ચુકવણી: ૧૦.૬૯%
લોન અને પેશગી: ૧.૭૨% • વિકાસલક્ષી ખર્ચમાં વિવિધ ક્ષેત્રોનો હિસ્સો
વિકાસલક્ષી ખર્ચના ૬૪.૮૮% હિસ્સાને વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે
શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ: ૧૮.૭૩% (શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ ભાર)
કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ: ૧૭.૪૪%
પાણી પુરવઠો, સ્વચ્છતા અને શહેરી વિકાસ: ૧૬.૫૦%
પરિવહન, વિજ્ઞાન અને ટેકનોલોજી: ૧૧.૬૫%
ઉર્જા, ઉદ્યોગ અને ખનિજ: ૧૦.૧૩%
આરોગ્ય અને પરિવાર કલ્યાણ: ૯.૫૦%

વિકાસલક્ષી ખર્ચ અંદાજ ૨૦૨૬-૨૭: એક નજર
વર્ષ ૨૦૨૬-૨૭ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ₹૨,૬૨,૪૭૭.૪૧ કરોડનું વિકાસલક્ષી બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ફાળવણીમાં સૌથી વધુ પ્રાથમિકતા શિક્ષણ અને રમતગમત (₹૫૧,૭૯૬.૧૩ કરોડ) તથા કૃષિ અને ગ્રામીણ વિકાસ (₹૪૫,૭૮૫.૫૮ કરોડ) ને આપવામાં આવી છે, જે રાજ્યના પાયાના વિકાસ પરનો ભાર દર્શાવે છે.શહેરી સુવિધાઓ અને સ્વચ્છતા માટે ₹૪૩,૩૧૬.૬૯ કરોડ તથા પરિવહન અને વિજ્ઞાન-ટેકનોલોજી માટે ₹૩૦,૫૬૯.૫૩ કરોડની માતબર રકમ ફાળવીને આધુનિક માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આરોગ્ય ક્ષેત્રે ₹૨૪,૯૨૦.૨૧ કરોડ અને ઊર્જા-ઉદ્યોગો માટે ₹૨૬,૬૦૧.૨૬ કરોડની જોગવાઈ સાથે સર્વગ્રાહી વિકાસનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સામાજિક કલ્યાણ અને અન્ય આર્થિક સેવાઓ માટે પણ અંદાજે ₹૪૦,૦૦૦ કરોડ જેટલી સંયુક્ત ફાળવણી કરવામાં આવી છે,
નાણાં મંત્રીએ રજૂ કરેલા બજેટના આંકડા જોતા સ્પષ્ટ થાય છે કે સરકાર શિક્ષણ અને કૃષિ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માંગે છે. જોકે, આવક મેળવવા માટે ૨૪.૭૨% જેટલું ‘જાહેર દેવું’ કરવું પડશે, જે ચિંતાનો વિષય બની શકે છે. બીજી તરફ, કુલ ખર્ચના અડધાથી વધુ ભાગ (૬૪.૮૮%) સીધો જ પ્રજાલક્ષી વિકાસ કાર્યોમાં ખર્ચ કરાશે.