National

શિમલામાં નિર્માણાધીન ટનલ કડડ ભુસ! મેનેજરની સુજ બુજથી બચ્યા મજૂરોના જીવ

નવી દિલ્હી: શિમલામાં (Shimla) નિર્માણાધીન ટનલ (Tunnel) મંગળવારે સવારે તૂટી પડી હતી. કાલકાથી શિમલા સુધી નિર્માણાધીન ફોર લેન પર સંજૌલીના ચલોંથીમાં ટિટેરી ટનલનું કામ ચાલી રહ્યું છે. સોમવારે સાંજે અહીં કેટલાક પથ્થરો અને માટી પડવા લાગ્યા હતા. જેથી થોડા સમય માટે કામને બંધ કરવામાં આવ્યું હતું તેમજ આજે ફરી ખોદકામ શરૂ થવાનું હતું.

ઘટના અંગે મળેલી માહિતી મુજબ શકરાલ-ધાલી ચાર માર્ગીયના ચલોંથી પાસે નિર્માણાધીન ટનલના મુખ પર એક વિશાળ ભૂસ્ખલન થયું હતું. તેમજ ટનલના મુખ પર મોટી માત્રામાં કાટમાળ પડ્યો હતો. જેના કારણે ટનલનું મોઢું સંપૂર્ણપણે તુટી પડ્યું હતું. ત્યારે માહિતી અનુસાર, તાજેતરમાં NHAI એ પહાડીને સ્થિર કરવાનું કામ કર્યું હતું અને 400 મીટર લાંબી ટનલનું ખોદકામ શરૂ થવાનું હતું. ખોદકામ પહેલા જ ટનલની ઉપરની ટેકરીનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જ્યારે ગઇ કાલે માટી અને પથ્થરો પડવા માંડ્યા હતા ત્યારે જ મેનેજરે ડહાપણ બતાવ્યું હતું અને ટનલમાં કામ કરતા કામદારો અને મશીનરીને બહાર કાઢ્યા હતા. આ ડહાપણ અને સતર્કતાને કારણે કર્મચારીઓનો જીવ બચી ગયો અને મશીનને કોઈ નુકસાન થયું નહીં.

NHAI પ્રોજેક્ટ મેનેજર અચલ જિંદાલે જણાવ્યું હતું કે જ્યાં ટનલનું પોર્ટલ (ગેટ) બનાવવામાં આવી રહ્યું હતું. ત્યાં કાટમાળ ત્યાં ફેંકી દેવામાં આવ્યો હતો. તેમજ પોર્ટલનો માર્ગ મોકળો કરવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન ભારે વરસાદને કારણે ટનલના પોર્ટલ પર ભૂસ્ખલન થયું હતું. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં શિમલામાં ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં માલ્યાણાથી ચલોંથી સુધી ફોર લેન ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન હેલિપેડ પાસે બનાવવામાં આવેલી ટનલ વરસાદના કારણે તૂટી પડતા લોકો ભયભીત છે.

હિમાચલમાં વાદળ ફાટવાને કારણે તબાહી
દેશના પર્વતીય ભાગોમાં વરસાદને કારણે ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે. અગાઉ 31મી જુલાઈની મધ્યરાત્રિએ હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં વાદળ ફાટ્યું હતું. તેમજ શુક્રવારે આ પૂરમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 26 પર પહોંચી ગઈ હતી. ત્યારે શિમલા જિલ્લાના સુન્ની નગર પાસેના ડોગરી વિસ્તારમાં શુક્રવારે સવારે ચાર મૃતદેહ મળી આવ્યા હતા. આ વાદળ ફાટવાની ઘટના કુલ્લુના નિર્મંદ, સાંજ અને મલાના, મંડીના પધાર અને શિમલાના રામપુર સબડિવિઝનમાં બની હતી.

દરમિયાન શિમલા અને કુલ્લુ જિલ્લાની સરહદ પર સ્થિત સમેજ ગામમાં સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં લગભગ 20 લોકો હજુ પણ ગૂમ છે. કુલ મૃતકોમાંથી 14 મૃતદેહો રામપુરમાંથી, નવ મંડીના રાજભાન ગામમાંથી અને ત્રણ કુલ્લુ જિલ્લાના નિર્મંદ/બાગીપુલમાંથી મળી આવ્યા છે. સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે 27 જૂનથી 8 ઓગસ્ટની વચ્ચે વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે અને રાજ્યને લગભગ 802 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Most Popular

To Top