National

ઉત્તર પ્રદેશના આ કર્મચારીઓને મળશે ‘જુની પેંશન યોજના’નો લાભ, યોગી સરકારની મોટી જાહેરાત

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સરકારી કર્મચારીઓને યોગી સરકારે (Yogi Sarkar) આજે મંગળવારે મોટી ખુશખબરી આપી હતી. હાલ 18મી લોકસભાનું બીજુ સત્ર ચાલી રહ્યુ છે કે જેમાં પ્રથમ સત્રમાં બાકી રહેલા સાંસદો શપથ લઇ રહ્યા છે. તો બીજી તરફ U.Pની રાજ્ય સરકારે જૂના પેન્શનને (Old Pension Scheme) લઈને મોટા પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ સાથે જ યોગી સરકારે 25 જૂનના રોજ અન્ય પ્રસ્તાવો ઉપર પણ ચર્ચા કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજધાની લખનૌમાં મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં તારિખ 28-03-2005 પહેલા નોકરીની જાહેરાત કરનારાઓની પેંશન યોજના અંગે ચર્ચા થઇ હતી. જેમાં યોગી સરકારે 28 માર્ચ 2005 પહેલા નોકરીએ લાગેલા યુ.પીના કર્મચારીઓને જૂનું પેન્શન લેવાનો વિકલ્પ આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ ઉપરાંત વધુ 44 પ્રસ્તાવો પણ પસાર કરવામાં આવ્યા હતા.

પ્રવાસન વિભાગના 7 પ્રસ્તાવો
પ્રાપ્ત વિગતો મુજબ ટાટા સન્સ દ્વારા અયોધ્યામાં 650 કરોડના ખર્ચે મંદિરનું મ્યુઝિયમ બનાવવામાં આવશે, 100 કરોડના અન્ય વિકાસ કાર્યો કરવામાં આવશે, જેમાં પ્રવાસન વિભાગ રૂ.1ના લીઝ પર જમીન આપશે. આ સાથે જ શાકંભરી દેવી ધામની વિશાળ જમીન પર પ્રવાસન વિભાગ વિકાસ કરશે. તેમજ પ્રવાસન વિભાગના બંધ શેલ્ટર હોમને PPP મોડલ પર 30 વર્ષના લીઝ પર આપવામાં આવશે.

ચાર RFQ મંજૂર કરવામાં આવ્યા
આ પ્રસ્તાવ અંતર્ગત હેલી પોર્ટ લખનૌ, પ્રયાગરાજ અને કપિલવસ્તુ જિલ્લામાં PPP મોડલ પર બનાવવામાં આવશે. તેમજ PPP મોડલ (બરસાના જલ મહેલ મથુરા, શુક્લ તાલાબ કાનપુર) પર પ્રાચીન વારસાનો પુનઃઉપયોગ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તદ્ઉપરાંત કેબિનેટમાં મુખ્યમંત્રી પ્રવાસન ફેલોશિપનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ઉમેદવારોને ટેબલેટ આપવામાં આવશે.

ઉર્જા વિભાગના આ પ્રસ્તાવો પસાર થયા
ભારત સરકારે વિદ્યુત નિરીક્ષક માટે વીજળી અધિનિયમ બનાવ્યો છે, તેના અનુસંધાનમાં રાજ્ય સરકારે પણ નિયમો બનાવવાની દરખાસ્ત પસાર કરી છે. આ સાથે જ ગોરખપુરમાં પરમહંસ યોગાનંદના જન્મસ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે, આ માટે પ્રવાસન વિભાગને મફત જમીન આપવામાં આવશે.

શહેરના વિકાસના આ કામો મંજૂર કરાયા
નગરપાલિકા અને નગરપાલિકામાં મહાનગરપાલિકાની કલમ 1959ના આધારને નિષ્ક્રિય કરવાની સાથે નિયમો બનાવવાનો પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ અયોધ્યા કેન્ટ વિસ્તારમાં 351.40 કરોડ રૂપિયાની ગટર યોજના બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમજ અમૃત યોજના 1 માં, મ્યુનિસિપલ બોડીનો હિસ્સો 50% ઘટાડવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમજ રાજ્યનો હિસ્સો વધારવાની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી.

આ સાથે જ અમૃત યોજના 2 માં મ્યુનિસિપલ સંસ્થાઓની સંખ્યા ઘટાડવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમજ નિષ્ક્રિય બનતા 11 એકમોની 871 એકર જમીનના બદલામાં રૂ. 117 કરોડ 19 લાખના સેટલમેન્ટનો અને નોઇડાના સેક્ટર 142માં 11.56 કિમીની મેટ્રો લાઇનના વિસ્તરણનો પ્રસ્તાવ પસાર થયો હતો. આટલુ જ નહીં પણ અમૃતસર કોલકાતા ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં આગ્રા અને પ્રયાગરાજમાં ઈન્ડસ્ટ્રીયલ નોડ બનવાનો પ્રસ્તાવ પસાર થયો થયો હતો.

આ સિવાય PGI માં ગ્રુપ A ગ્રુપ B પેરામેડિકલ અધિકારીઓને AIIMS ના સામાન્ય દર્દી સંભાળ ભથ્થું આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો. ફર્મને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ ઉત્તર પ્રદેશ કેબિનેટમાં પાસ થયો. તેમજ વારાણસી, બરેલી, મુરાદાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટીની સીમાઓ વિસ્તારવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત સેમસંગ ડિસ્પ્લે નોઈડાને રૂ. 207 કરોડની મૂડી સબસિડી આપવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

તદ્ઉપરાંત ઇન્ટેલિજન્સનાં 4 કેન્દ્રો બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો અને ઉત્તર પ્રદેશમાં 9 કંપનીઓને NOC, આઈપીસી અને સીઆરપીસીમાં ફેરફાર હેઠળ ત્રણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં ઉત્તર પ્રદેશ ગુંડા એક્ટ 1971, સ્ટેટ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટમાં ફેરફાર સહિત મહિલાઓ, બાળકો અને ગેંગસ્ટરના કેસમાં આગોતરા જામીન ન આપવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top