ગાંધીનગર, તા. 10
રાજ્યમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન વાયુ પ્રદૂષણ નિવારણ માટે કુલ રૂ. 474.98 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી કુલ રૂ. 71.36 કરોડની રકમ હજુ સુધી વપરાઈ નથી.
સરકાર દ્વારા વિધાનસભામાં રજુ કરેલી વિગતો મુજબ વર્ષ 2024-25 દરમિયાન રૂ. 277.42 કરોડ અને વર્ષ 2025-26 દરમિયાન રૂ. 197.56 કરોડની રકમ ફાળવવામાં આવી છે.
આમાંથી કુલ રૂ. 71.36 કરોડની રકમ હજુ સુધી વપરાઈ નથી. વર્ષ 2024-25માં રૂ. 19.64 કરોડ અને વર્ષ 2025-26માં રૂ. 51.72 કરોડની રકમ વણવપરાયેલી રહી છે.
સરકારના જણાવ્યા મુજબ કેટલાક વિકાસ કામો હાલ પ્રગતિ હેઠળ હોવાને કારણે આ રકમ વણવપરાયેલી રહી છે. વર્ષ 2024-25માં 17 કામો પ્રગતિમાં હોવાથી રૂ. 19.64 કરોડ બાકી છે, જ્યારે વર્ષ 2025-26માં 25 કામો ચાલુ હોવાને કારણે રૂ. 51.72 કરોડનો ખર્ચ હજી થયો નથી.
આ કામો પૂર્ણ થતા સાથે જ બાકી રહેલી રકમનો ઉપયોગ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.