SURAT

સુરત : હોમઆઇસેલોટ પેશન્ટને પણ ઇજનેકશન મળશે : સુરત જિલ્લા કલેક્ટર

સુરતઃ સુરત જિલ્લા કલેક્ટરે (SURAT DISTRICT COLLECTOR) શહેરમાં કોરોનાથી સતત કથળતી પરિસ્થિતિને પગલે લોકોને કામ વગર બહાર નહીં નીકળવા અપીલ કરી છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વિનંતી કરવામાં આવે છે કે હાલની સ્થિતિએ જે પ્રમાણે કેસનો વધારો છે તે ગઈ વખત કરતાં ખૂબ વધારે ઝડપી છે. અને જે કેસ આવી રહ્યા છે એની સામે હોસ્પિટલ(COVID HOSPITAL)માં દાખલ ગંભીર દર્દીની સંખ્યા પણ ખૂબ વધારે છે. નવી વ્યવસ્થા અને ઈન્ફ્રાસ્ટ્કચર ચાલી રહ્યું છે પણ તેની સામે કેસની સંખ્યા ઝડપી વધી રહી છે. હોસ્પિટલોની ક્ષમતા કરતા વધારે દર્દી આવે છે. તેમાંયે ઓક્સિજન (OXYGEN) પર આવતા દર્દી જ છે. એટલે જ જેમને અર્જન્ટ કામ ના હોય એમને સંપૂર્ણ જવાબદારી સાથે વિનંતી કરતા ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે, જે લોકો પોતાના ઘરે રહી શકતા હોય તો તે ઘરે જ રહે. અને જે ઈન્ડસ્ટ્રી ચાલે છે એ ભલે ચાલે પણ સુરતમાં અત્યારે સંક્રમિત વધારે એટલા જ ગંભીર દર્દી વધારે છે.

ઘરે રહેવા પાલન કરીએ તો આપણે કેસ ઘટાડી શકીએ અને સારવાર યોગ્ય આપી શકીએ. હાલ કેસ જે રીતે આવે છે તે જોતા આપણી કેપિસિટી હોસ્પિટલોની લાંબો સમય સુધી મદદ ન કરી શકશે. એટલે સંપર્ક જેટલો ઓછો કરીશું એટલા કેસ ઘટશે. હોસ્પિટલની કેપિસિટી સાથે સારી સારવાર મળી શકશે. બીજી તરફ કિડની હોસ્પિટલ બાબતે પુછતા જણાવ્યું હતું કે, હાલ ઓક્સિજનની લાઈન લાગી ગઈ છે. ઓક્સિજનનું ચેકિંગ ચાલે છે. લગભગ કાલથી કિડની હોસ્પિટલમાં ચાલુ થાય તેવો પ્રયાસ છે.

રેમડેસિવિર ઇન્જેકશન ખાનગી હોસ્પિટલોને આપવા વ્યવસ્થા ગોઠવાઈ છે

કલેકટરે કહ્યું હતું કે, બે દિવસમાં 1528 પેશન્ટ માટે 3695 ઈન્જેકશન (REMDESIVIR INJECTION) આપવામાં આવ્યાં છે. પરંતુ તેમ છતાં લોકો લાઇનો લગાવે છે. તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેકશન મેળવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે મુજબ કોઈ પણ દર્દીના સગાઓએ નવી સિવિલ હોસ્પિટલ કે સ્મીમેર હોસ્પિટલ ખાતે જવાનું નથી. જે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેઓએ નિયત નમૂનામાં આપેલા ઇ-મેઈલ આઈ ઉપર હોસ્પિટલના અધિકૃત વ્યક્તિની સહી સાથે અરજી કરવાની રહેશે. ત્યારબાદ ઉપલબ્ધ જથ્થાને ધ્યાનમાં લેતા દર્દીઓને ફાળવણી કરવામાં આવશે. આ સમગ્ર વ્યવસ્થા માટે દર્દીના સગાએ ક્યાંય પણ જવાનું રહેતું નથી. અધિકૃત વ્યક્તિ ફાળવણી મુજબ લેવા આવે. જો કોઈ દર્દીના સંબંધી નવી સિવિલ હોસ્પિ. અને સ્મીમેરમાં હોય તો પાછા જતા રહે.

હોમઆઇસેલોટ પેશન્ટને પણ ઇજનેકશન મળશે

સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલએ કહ્યું હતું કે, સુરત શહેરની નાની મોટી હોસ્પિટલ ઉપરાંત જે લોકો ઘરે હોમ આઇસોલેટ થઇ સારવાર લઇ રહ્યાં છે. તેમને પણ જો રેમડેસિવર ઇન્જેકશનની જરૂર હોય તો તેમને મળી જશે. તેમના જે કોઇ ફેમિલી ડોકટર કે ફીઝિશ્યન હોય તો તેઓ પણ કલેકટરને મેઇલ કરી શકે છે અને આ મેઇલ મારફત તેમને જરૂર પડે ઇન્જેકશનની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

Most Popular

To Top