National

શરદ પવારની તબિયત ફરી લથડી, પુણે હોસ્પિટલમાં દાખલ કરાયા

NCP-SP નેતા શરદપવારની તબિયત ખરાબ થઈ છે. તેમને વધુ તબીબી સંભાળ અને નિરીક્ષણ માટે રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા કેટલાક સમયથી તેઓ ગળામાં ઇન્ફેકશનથી પીડાઈ રહ્યા છે. તેમની તબિયત આ કારણે વારંવાર ખરાબ થઈ રહી છે. આ પહેલા પવારને 9 ફેબ્રુઆરીએ ગળામાં ચેપ, તાવ અને છાતીમાં ભીંસની ફરિયાદો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી. આ વખતે પણ, ડોકટરો તેમની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. છેલ્લા બે અઠવાડિયામાં તેઓ આ બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પવારની પુત્રી અને બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ તેમના વોટ્સએપ સ્ટેટસ દ્વારા સ્વાસ્થ્ય અપડેટ શેર કર્યું. એક અહેવાલ મુજબ, પવાર હાલમાં તબીબી દેખરેખ હેઠળ છે અને ચિંતાનું કોઈ કારણ નથી. હોસ્પિટલના મુખ્ય કાર્ડિયોલોજિસ્ટ અને ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. પૂર્વેજ ગ્રાન્ટે જણાવ્યું હતું કે પવારની હાલત ગંભીર નથી. તેમને થોડા સમય માટે નિરીક્ષણ કર્યા પછી રજા આપવામાં આવી શકે છે. ડૉ. ગ્રાન્ટ અને કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. અભિજીત લોઢા તેમની સારવાર કરી રહ્યા છે. પવારને અગાઉ 9 ફેબ્રુઆરીએ છાતીમાં ચેપ લાગવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સ્વસ્થ થયા પછી 14 ફેબ્રુઆરીએ તેમને રજા આપવામાં આવી હતી.

અગાઉ, અજિત પવારના અવસાન થયાના તેરમા દિવસે શરદ પવારની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને પાંચ દિવસ માટે પુણેમાં દાખલ કરવામાં આવ્યા હતા. 85 વર્ષીય શરદ પવાર હાલમાં રાજ્યસભાના સભ્ય છે, જેમનો કાર્યકાળ 2 એપ્રિલે સમાપ્ત થાય છે. રૂબી હોલ ક્લિનિકના એક નિવેદન અનુસાર, પવારની સ્થિતિ હાલમાં સ્થિર છે અને તેઓ તબીબી દેખરેખ હેઠળ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પવારને તેમની સારવાર માટે નસમાં પ્રવાહી આપવામાં આવી રહ્યા છે અને આગામી બે દિવસ સુધી તેઓ હોસ્પિટલમાં દેખરેખ માટે રાખવામાં આવશે.

Most Popular

To Top