Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 417
National

PM મોદીએ નાતાલના પાવન અવસરે કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનની ખાસ પ્રાર્થનામાં હાજરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 25 ડિસેમ્બર ગુરુવારે નાતાલના પાવન અવસરે દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનમાં યોજાયેલી ખાસ ક્રિસમસ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે દિલ્હી અને ઉત્તર ભારતના મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો સાથે પ્રાર્થનામાં ભાગ લીધો.

નાતાલની સવારની આ પ્રાર્થના સભામાં કેરોલ ગીતો, સ્તોત્રો અને વિશેષ પ્રાર્થનાઓ યોજાઈ હતી. દિલ્હીના બિશપ રાઈટ રેવરન્ડ પોલ સ્વરૂપ દ્વારા પ્રધાનમંત્રી માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર ચર્ચમાં શાંતિ, પ્રેમ અને કરુણાનું વાતાવરણ જોવા મળ્યું હતું.

પ્રાર્થના સભા બાદ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે તેઓ દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનમાં નાતાલની સવારની સેવામાં સામેલ થયા હતા. આ સેવા પ્રેમ, શાંતિ અને કરુણાના શાશ્વત સંદેશને પ્રતિબિંબિત કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે નાતાલની ભાવના આપણા સમાજમાં એકતા, સંવાદિતા અને સદ્ભાવનાને પ્રેરણા આપે છે.

આ પહેલાં પણ પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાના મેસેજમાં જણાવ્યું હતું કે ઈસુ ખ્રિસ્તના ઉપદેશો શાંતિ, કરુણા અને આશાનો સંદેશ આપે છે. જે સમાજને વધુ મજબૂત અને સંવાદિતાપૂર્ણ બનાવે છે.

પ્રધાનમંત્રીની આ હાજરીથી ખ્રિસ્તી સમુદાયમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. નાતાલના અવસરે તેમનો સંદેશ દેશની વિવિધતા વચ્ચે એકતા અને પરસ્પર સન્માનને પ્રોત્સાહન આપતો રહ્યો છે.

Most Popular

To Top