નિદા ખાન ફરી ચર્ચામાં: પતિ ઉપર લગાડયો મારી નાંખવાનો આરોપ

લખનૌ: નિદા ખાન એકવાર ફરી ચર્ચામાં આવી છે. તેણે પોતાના પતિ (Husband) તેમજ સાસરા પક્ષ ઉપર ગંભીર આરોપો લગાડયા છે. તેણે પોતાના સાસરા પક્ષ ઉપર આરોપ લગાડયા છે કે તેઓએ તેના સંબંઘીના લગ્નમાં (Marriage) જવાની ના પાડી હતી આ સાથે જ તેને મારી (Murder) નાંખવાની પણ ઘમકી આપી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિદાનાં પતિએ કોર્ટમાં તેના ઉપર એસિડ (Acid) ફેંકવાની ઘમકી આપી છે.

નિદાએ આરોપ લગાડયો છે કે 26 માર્ચના રોજ તેના સંબંધીના લગ્ન હતા જેમાં નિદાના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે તે લગ્નમાં પહોંચી ત્યારે તેના મામાએ તેને કહ્યું કે તેના પતિ શીરાન રઝા, તેના કાકા અને નબીરે આલા હઝરત તસ્લીમ રઝા ખાન, અરસલાન, જરતબ અને બુરહાને તેને કહ્યું કે નિદાને ભાજપમાં જોડાવાના નિર્ણયનો પસ્તાવો થશે ત્યારે જ તેને લગ્નમાં જવાની મંજૂરી આપવામાં આવશે. જો આમ ન થશે તો તેને મારી નાખવામાં આવશે.

  • મારી નાંખવાની પણ ઘમકી આપવામાં આવી
  • તેના ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો પણ કરવામાં આવ્યો
  • પોલીસને આ અંગેની જાણ કરી ત્યારે જઈને મામલો થોડો શાંત થયો

જયારે તે પોતાના સંબંધીના લગ્નમાં પહોંચી ત્યારે એક સમૂહ દ્વારા તેને ઘેરી લેવામાં આવી તેમજ તેને મારી નાંખવાની પણ ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેના ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો પણ કરવામાં આવ્યો હતો જેના કારણે તેને હાથ ઉપર ઈજા પહોચી હતી.

આ સાથે નિદાએ જણાવ્યું કે તેણે પોલીસને આ અંગેની જાણ કરી ત્યારે જઈને મામલો થોડો શાંત થયો હતો. બુધવારે રાત્રે જ પોલીસે આ અંગે રિપોર્ટ નોંધ્યો હતો. ઉપરાંત ચૂંટણી પ્રચાર માટે તેણે એક વીડિયો ફેસબુક પર શેર કર્યો હતો. આ વીડિયોને તેના પતિ શીરાન, કાકા તસ્લીમ મિયાં, અરસલાન, તસ્લીમ મિયાંના સાળા જરતબ અને તેના કાકાએ એડિટ કર્યો હતો. જે ધાર્મિક લાગણી ભડકાવનાર હતો.

વધુમાં નિદાએ કહ્યું કે તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ કોર્ટમાં દહેજ લેવાનો, ભ્રૂણહત્યા તેમજ તેનો અભ્યાસ અટકાવવાના કેસ ચાલી રહ્યા છે. નિદાને તેના પતિએ ત્રિપલ તલાક આપી દીધા હતા. હાલ તે પોતાના માતા-પિતા સાથે રહે છે.

Most Popular

To Top