Columns

શું ઇઝરાયેલે હિઝબુલ્લાના નેતા નસરાલ્લાહની હત્યા કરીને ઈરાનને અપમાનિત કર્યું છે?

ઇઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાના અનેક ટોચના કમાન્ડરો માર્યા ગયા છે તેમાં તેના નેતા હસન નસરાલ્લાહની સાથે ઇબ્રાહિમ અકીલ અને નાબિલ કૌક જેવા વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હતા. જેનાથી મધ્ય પૂર્વમાં અશાંતિ વધુ તીવ્ર બની છે. નસરાલ્લાહનું મોત ઇઝરાયેલ માટે એક મોટી સફળતા છે અને મધ્ય પૂર્વના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે, પરંતુ લાંબા ગાળાની અસર શું હશે તે હજી પણ અસ્પષ્ટ છે.

તેમની હત્યાને લઈને શ્રીનગર અને કાશ્મીર ખીણના અન્ય ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. હિઝબુલ્લાહ અને તેના ઈરાની સાથીઓએ દુશ્મન સામે અને પેલેસ્ટાઈનના સમર્થનમાં યુદ્ધ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. તેણે ચિંતા ઊભી કરી છે કે, એક વ્યાપક પ્રાદેશિક સંઘર્ષ ક્ષિતિજ પર હોઈ શકે છે. ઇઝરાયેલ પણ નોંધપાત્ર સફળતા પછી ચૂપ રહેશે નહીં. એવું લાગે છે કે, ઇઝરાયેલ લેબનોન પર સંભવિત આક્રમણ માટે પાયો નાખી રહ્યું છે, જેણે છેલ્લા 10 દિવસોમાં હિઝબુલ્લાહના લોજિસ્ટિક્સ અને કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યા છે.

2006ના આક્રમણથી વિપરીત, જેમાં ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહ સામે સંઘર્ષ કર્યો હતો, ઇઝરાયેલ ભૂતકાળની ભૂલોમાંથી શીખ્યું છે. તે સમયે 34 દિવસીય સંઘર્ષ, જેમાં 121 ઇઝરાયેલી સૈનિકો માર્યા ગયા હતા, બંને પક્ષે ભારે નુકસાન થયું હોવા છતાં મડાગાંઠ સાથે સમાપ્ત થયું હતું. હવે, ઇઝરાયેલ હમાસ સાથેની તેની તાજેતરની લડાઈથી યુદ્ધ-કઠોર થઈ ચૂક્યું છે, જે શુદ્ધ ગુપ્ત માહિતી, યુદ્ધ યોજનાઓ અને મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીથી સજ્જ છે.આ તૈયારીઓ સાથે હિઝબુલ્લાહને નિર્ણાયક ઝટકો આપવા માટે જમીન પર આક્રમણ થવાની સંભાવના વધી રહી છે. હિઝબુલ્લાહ તેના મહત્ત્વપૂર્ણ નેતાના નુકસાન પછી આગામી દિવસોમાં ફરીથી એકત્ર થવાની સંભાવના છે, જેમાં ટૂંક સમયમાં એક નવો નેતા ઊભરી શકે છે.

જ્યારે તેના યુદ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફટકો પડ્યો છે, પરંતુ તેમાંથી મોટા ભાગની કામગીરી ચાલુ છે અને જૂથ વધુ નુકસાન થાય તે પહેલાં તેની બાકીની ક્ષમતાઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે. આ પ્રકારના પગલાથી તેની રેન્કને પુનર્જીવિત કરી શકે છે અને લેબનોન અને ઈરાનમાં તેની સ્થિતિને મજબૂત થઈ શકે છે. તે નવા નેતા, પછી તે કોઈપણ હોય, તેને પણ મદદ કરશે, તેની સ્થિતિને સ્થાપિત કરવામાં પણ મદદ કરશે. વધુમાં, તે નવા નેતાને તેની સત્તાનો દાવો કરવાની અને તેની ભૂમિકાને મજબૂત કરવાની તક આપશે. જોકે, ઇઝરાયેલનો ભૂતકાળ દર્શાવે છે કે, નેતાઓની હત્યા કરવાથી આતંકવાદી જૂથો કાયમી ધોરણે નબળા પડતા નથી – 2008માં તેના લશ્કરી વડા ઇમાદ મુગનીહની હત્યા બાદ હિઝબુલ્લા વધુ મજબૂત બન્યું હતું.

નસરાલ્લાહનું મોત એ ઇઝરાયેલ માટે એક મહત્ત્વપૂર્ણ જીત છે સાથે જ હિઝબુલ્લાહના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેતૃત્વ પરના તાજેતરના કરેલા હુમલાઓ પણ. જોકે, જૂથ હજી પણ ખતમ થયું નથી. ઈરાન હસન નસરાલ્લાહની હત્યાને નોંધપાત્ર અપમાન તરીકે માને છે, જે થોડા મહિનામાં ઈરાની નેતૃત્વ માટે બીજા ગંભીર નુકસાનને ચિહ્નિત કરે છે – હમાસના રાજકીય નેતા ઈસ્માઈલ હનીયેહની જુલાઈ 2024માં તેહરાનમાં ઈઝરાયેલી હુમલામાં હત્યા કરી નખાઈ હતી. નસરાલ્લાહનું મોત ઈરાનના ક્ષેત્રીય પ્રભાવના સાધનો માટે અભૂતપૂર્વ ફટકો છે. ઈરાની પ્રતિકારક નેતાઓના સમૂહમાં તેમનું અપ્રતિમ મહત્ત્વ હતું. તેથી, નસરાલ્લાહની હત્યા ઇરાન માટે 2020માં રિવોલ્યુશનરી ગાર્ડ્સના મેજર જનરલ કાસિમ સુલેમાની અને આ વર્ષની શરૂઆતમાં હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હનીયેહની હત્યા કરતાં પણ વધુ મોટું નુકસાન છે.

હનીયેહની હત્યાના જવાબમાં ઈરાને ઈઝરાયેલ પર સેંકડો મિસાઇલો અને ડ્રોન છોડ્યા હતા, પરંતુ આ હુમલાને મુખ્યત્વે નિષ્ફળ કરવામાં આવ્યો હતો અને સ્થાનિક સમર્થકોને ખુશ કરવા સિવાય તેનો કોઈ ખાસ ઉદ્દેશ્ય હેતુ ન હતો. ત્યાર બાદ ઈરાની અધિકારીઓએ ઝડપથી તણાવ ઓછો કર્યો, યુએનના રાજદૂતે જણાવ્યું હતું કે, હુમલાઓને ‘સમાપ્ત’ માનવામાં આવી શકે છે. જોકે, નસરાલ્લાહની હત્યાથી ઈરાનની પ્રતિક્રિયા વધુ મજબૂત હોઈ શકે છે. એક વાત એ છે કે, નસરાલ્લાહ હનીયેહ કરતાં વધુ નોંધપાત્ર વ્યક્તિ છે.

ઈરાનના નેતાઓ, ખાસ કરીને સર્વોચ્ચ નેતા અલી ખમેનીએ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે અને પાંચ દિવસના શોકની જાહેરાત કરી છે. આ મજબૂત ભાવનાત્મક અને રાજનૈતિક પ્રતિક્રિયા ઈરાનના તણાવને વધારવાના ઈરાદાને દર્શાવે છે. ઈરાન ઈઝરાયેલ સામે બદલો લેવા માટે તેના પ્રાદેશિક પ્રોક્સીઓને એકત્ર કરી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિઝબુલ્લાએ લગભગ 150,000 રોકેટ અને મિસાઇલોનો સંગ્રહ કર્યો છે. જોકે, તેને અસરકારક રીતે તૈનાત કરવાની તેની ક્ષમતા હવે સવાલો ઊભા કરે છે.

કારણ કે, તેનું નેતૃત્વ નાશ પામ્યું છે અને ઘણા લડવૈયાઓ કાં તો માર્યા ગયા અથવા ઘાયલ થયા. જોકે, હિઝબુલ્લાહ લાંબા સમય સુધી શાંત રહેશે તેવી શક્યતા નથી અને ઝડપી પ્રતિસાદની અપેક્ષા રાખી શકાય છે. ભારત માટે પ્રતિકારની એક કમજોર ઈરાની ધરીનો અર્થ એ છે કે, તેની ભવ્ય પ્રાદેશિક કનેક્ટિવિટી યોજનાઓમાં વિક્ષેપના ઓછા સ્ત્રોત હશે તથા બે-રાજ્ય સમાધાન માટે તેના પરંપરાગત નૈતિક સમર્થનમાં ફેરફારની આવશ્યકતા નહીં હશે. ભારતનું માનવું છે કે, પેલેસ્ટાઇનનો મુદ્દો ઈરાન જેવા ત્રીજા પક્ષકારના હસ્તક્ષેપ વગર આરબ-ઈઝરાયેલ વાટાઘાટોના માધ્યમથી જ હલ કરી શકાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top