National

e-RUPI: પીએમ મોદીએ કહ્યું – ડિજિટલ પેમેન્ટમાં એક નવું પરિમાણ : જાણો શું છે ખાસિયતો

ઇ -રૂપી (e-RUPI) ડિજિટલ પેમેન્ટ (Digital payment) પ્લેટફોર્મ છે, જેને સંપૂર્ણપણે કેશલેસ (Cashless) અને કોન્ટેક્ટલેસ બનાવવામાં આવ્યું છે. આ ડિજિટલ પ્લેટફોર્મ ખાતરી કરશે કે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ જ સર્વિસ પ્રોવાઇડરને ચુકવણી કરવામાં આવશે. ચાલો જાણીએ કે ઈ-રૂપિ શું છે, તે કેવી રીતે કામ કરશે અને તેનો ઉપયોગ ક્યાં થઈ શકે છે.

પીએમ મોદી (Pm modi) એ આ પ્રસંગે કહ્યું કે આજે દેશ ડિજિટલ ગવર્નન્સને નવું પરિમાણ આપી રહ્યો છે. દેશમાં ડિજિટલ વ્યવહારો (Digital transaction) માટે DBT ને વધુ અસરકારક બનાવવા માટે ઈ-રૂપી વાઉચર મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે. આ બધાને લક્ષિત, પારદર્શક અને લિકેજ મુક્ત ડિલિવરી પ્રદાન કરવામાં ઘણું આગળ વધશે. માત્ર સરકાર જ નહીં, જો કોઈ સામાન્ય સંસ્થા કે સંગઠન કોઈને તેમની સારવારમાં, તેમના અભ્યાસમાં અથવા અન્ય કોઈ કામમાં મદદ કરવા માંગે છે, તો તેઓ રોકડને બદલે ઈ-રૂપિ આપી શકશે. આ સુનિશ્ચિત કરશે કે તેના દ્વારા આપવામાં આવેલા નાણાંનો ઉપયોગ તે જ કામ માટે કરવામાં આવે છે જેના માટે તે રકમ આપવામાં આવી છે. પીએમે કહ્યું કે ઈ-રૂપિ એક રીતે, વ્યક્તિ તેમજ હેતુ માટે વિશિષ્ટ છે. જે હેતુ માટે કોઈ મદદ અથવા કોઈ લાભ આપવામાં આવી રહ્યો છે, તેનો ઉપયોગ તે માટે કરવામાં આવશે, તે ઈ-રૂપિ સુનિશ્ચિત કરવા જઈ રહ્યો છે.

ઈ-રૂપિ શું છે?
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને નેશનલ હેલ્થ ઓથોરિટી સાથે મળીને તેના UPI પ્લેટફોર્મ પર ઈ-રૂપિ વિકસાવવામાં આવ્યુ છે. તે ડિજિટલ પેમેન્ટનું સંપૂર્ણપણે કેશલેસ અને કોન્ટેક્ટલેસ માધ્યમ છે. 

તેના ફાયદા શું છે?

  • સિસ્ટમના વપરાશકર્તાઓ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગને એક્સેસ કર્યા વિના તેમના સર્વિસ પ્રોવાઇડર સેન્ટર પર વાઉચરની રકમ મેળવી શકશે.
  • ઇ-રૂપિ કોઇપણ ભૌતિક ઇન્ટરફેસ વગર ડિજિટલ રીતે સેવાઓના પ્રાયોજકોને લાભાર્થીઓ અને સેવા પ્રદાતાઓ સાથે જોડે છે. 
  • તે એ પણ સુનિશ્ચિત કરે છે કે વ્યવહાર પૂરો થયા પછી જ સેવા પ્રદાતાને ચુકવણી કરવામાં આવે.
  • પ્રી-પેઇડ હોવાથી, કોઈપણ મધ્યસ્થીના હસ્તક્ષેપ વિના સર્વિસ પ્રોવાઇડરને સમયસર ચૂકવણી કરવી શક્ય છે.
  • આ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન કલ્યાણ સેવાઓની ભ્રષ્ટાચાર-મુક્ત ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે ક્રાંતિકારી પહેલ બની શકે છે. 

ઈ-રૂપિ ક્યાં વાપરી શકાય?

  • તેનો ઉપયોગ માતાઓ અને બાળ કલ્યાણ યોજનાઓ, ટીબી નાબૂદી કાર્યક્રમો, દવાઓ અને ડાયગ્નોસ્ટિક્સ જેવી યોજનાઓ હેઠળ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ખાતર સબસિડી વગેરે જેવી યોજનાઓ હેઠળ સેવાઓ પૂરી પાડવા માટે થઈ શકે છે. 
  • ખાનગી ક્ષેત્ર પણ તેના કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમો હેઠળ આ ડિજિટલ વાઉચર્સનો ઉપયોગ કરી શકે છે.  

તે કેવી રીતે કામ કરે છે?

e-RUPI એક પ્રીપેડ ઈ-વાઉચર છે. તે QR કોડ અથવા એસએમએસ સ્ટ્રિંગ પર આધારિત ઇ-વાઉચર તરીકે કામ કરે છે, જે લાભાર્થીઓના મોબાઇલ ફોનમાં પહોંચાડવામાં આવે છે. પ્લેટફોર્મ વપરાશકર્તાઓને કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ એક્સેસનો ઉપયોગ કર્યા વગર વાઉચરને રિડીમ કરવાની મંજૂરી આપશે. ઇ-રૂપિ કોઇપણ ભૌતિક ઇન્ટરફેસ વગર ડિજિટલ રીતે સેવાઓના પ્રાયોજકોને લાભાર્થીઓ અને સેવા પ્રદાતાઓ સાથે જોડે છે. 

Most Popular

To Top