Sports

“રમઝાનની રાતે કાબુલ લોહીલુહાણ!”

ક્રિકેટર્સ ભડક્યા! બોલ્યા આને કહેવાય હત્યા

કાબુલમાં મંગળવારે થયેલા ભયાનક એરસ્ટ્રાઈક બાદ સમગ્ર વિશ્વમાં ચોંકાવનારી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. સાથે જ અફઘાનિસ્તાનના દાવા મુજબ આ હુમલામાં આશરે 400 લોકોના મોત થયા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે. ખાસ વાત એ છે કે આ હુમલો એક ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલ પર થયો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યાં અંદાજે 2000 દર્દીઓ હાજર હતા.

અફઘાન સરકારના ઉપપ્રવક્તા Hamdullah Fitrat અનુસાર રાત્રે લગભગ 9 વાગ્યે આ હુમલો થયો, જેમાં હોસ્પિટલનો મોટો ભાગ તબાહ થઈ ગયો. આ ઘટનાએ માનવતા સામેના ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ક્રિકેટર્સનો ફાટકો: “આ યુદ્ધ અપરાધ છે!”
અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર Rashid Khanએ આ ઘટનાને લઈને કડક પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે નિર્દોષ નાગરિકો, હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવું “યુદ્ધ અપરાધ” સમાન છે. તેમણે યુએન સહિત માનવ અધિકાર સંસ્થાઓને આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવાની અપીલ કરી.

ભૂતપૂર્વ કેપ્ટન Mohammad Nabiએ પણ આ હુમલાને લઈને ભાવુક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે “રમઝાનની પવિત્ર રાતે આશા બુઝાઈ ગઈ,” અને આ હુમલામાં સારવાર લઈ રહેલા યુવાનોના જીવ ગયા.

સરકારનો આરોપ: “હોસ્પિટલ ટાર્ગેટ કરાઈ” : અફઘાન સરકારના પ્રવક્તા Zabihullah Mujahidએ પાકિસ્તાન પર સીધો આરોપ લગાવ્યો કે તેમણે હવાઈ સીમા ભંગ કરીને હોસ્પિટલ સહિત નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા. તેમણે ઘટનાને “માનવતા વિરુદ્ધનો ગુનો” ગણાવ્યો.

પાકિસ્તાનનો ઇનકાર: “માત્ર સૈન્ય ટાર્ગેટ્સ હિટ” : બીજી તરફ પાકિસ્તાનના માહિતી પ્રધાન Attaullah Tararએ આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમના મુજબ પાકિસ્તાની સેનાએ માત્ર ચોક્કસ “ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર” અને હથિયાર સંગ્રહ સ્થાનોને જ નિશાન બનાવ્યા હતા, જે આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપતા હતા.

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર દક્ષિણ એશિયામાં તણાવ વધાર્યો છે. સત્ય શું છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ નિર્દોષ લોકોના મોતે દુનિયાને ફરી એકવાર યુદ્ધની ભયાનકતા યાદ અપાવી છે.

Most Popular

To Top