Trending

યુકે કોર્ટ નો મોટો ઝટકો: નિરવ મોદીનું એક્સટ્રેડિશન રોકવાનો પ્રયાસ ફરી નિષ્ફળ

ભારતના આશ્વાસનો પર વિશ્વાસ

ફરાર હીરા વેપારી Nirav Modiને યુકે કોર્ટ તરફથી ફરી એક મોટો ઝટકો મળ્યો છે. લંડનની હાઇ કોર્ટએ તેમના દ્વારા દાખલ કરાયેલા એક્સટ્રેડિશન કેસ ફરીથી ખોલવાની અરજી ફગાવી દીધી છે, જેના કારણે હવે તેમને ભારત પરત મોકલવાનો રસ્તો વધુ મજબૂત બન્યો છે. કોર્ટએ પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે કેસ ફરીથી ખોલવા માટે જરૂરી “અસાધારણ પરિસ્થિતિઓ” અહીં લાગુ પડતી નથી. સાથે જ, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા આશ્વાસનોને કોર્ટએ “વિશિષ્ટ અને વિશ્વસનીય” ગણાવીને સ્વીકાર્યા છે.

નિરવ મોદીએ પોતાની અરજીમાં દલીલ કરી હતી કે ભારતમાં તેમને સલામતીનો ખતરો છે અને જેલ પરિસ્થિતિ યોગ્ય નથી. તેમણે તાજેતરના કેટલાક આંતરરાષ્ટ્રીય અહેવાલો અને અન્ય કેસોના ઉલ્લેખ સાથે નવી પરિસ્થિતિઓ ઉભી થવાનો દાવો કર્યો હતો. પરંતુ કોર્ટએ આ દલીલોને પૂરતી અસરકારક માન્યા નહીં અને કહ્યું કે આ મુદ્દાઓ પહેલાના નિર્ણયમાં કોઈ મોટો ફેરફાર લાવતા નથી.

ઉલ્લેખનીય છે કે નિરવ મોદી પર પંજાબ નેશનલ બેંક (PNB)ના હજારો કરોડ રૂપિયાના ઘોટાળાનો આરોપ છે. તેઓ 2019થી યુકેમાં કસ્ટડીમાં છે અને ભારત તેમની એક્સટ્રેડિશન માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. આ સુનાવણી દરમિયાન ભારતની તપાસ એજન્સી CBIની ટીમ લંડન પહોંચી હતી અને યુકેના ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ સાથે મળીને મજબૂત રીતે દલીલો રજૂ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, સંકલિત પ્રયાસોના કારણે નિરવ મોદીની આ નવી કાનૂની ચાલ નિષ્ફળ બનાવી શકાયી છે. યુકે કોર્ટના આ તાજેતરના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે નિરવ મોદીના બધા મોટા કાનૂની રસ્તા હવે લગભગ બંધ થઈ રહ્યા છે. હવે તેમની ભારત વાપસી અને ટ્રાયલ શરૂ થવાની શક્યતા વધુ વેગ પકડી રહી છે.

Most Popular

To Top