Sports

દબાણ વચ્ચે પણ શાંત: સેમિફાઇનલની આશા જીવંત રાખવા મસ્ટ-વિન મેચોમાં ઉતરશે India national cricket team

દક્ષિણ આફ્રિકા સામેની ભારે હાર બાદ ભારતીય ટીમ પર દબાણ તો વધી ગયું છે, પરંતુ ટીમ મેનેજમેન્ટે પેનિક બટન દબાવવાનું ઇન્કાર કર્યું છે. ટીમના બેટિંગ કોચ Sitanshu Kotakનું માનવું છે કે શાંતિપૂર્ણ મન અને સમજદાર ફેરફારો સાથે ટીમ સેમિફાઇનલમાં પહોંચવાની આશા જાળવી રાખી શકે છે. હવે ભારત માટે આવતા તમામ મુકાબલા ‘મસ્ટ-વિન’ બની ગયા છે.

ટૂર્નામેન્ટની શરૂઆતમાં ભારત ફેવરિટ ગણાતું હતું, પરંતુ દક્ષિણ આફ્રિકા સામે 76 રનની હારથી ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગઈ છે. હવે ટીમની નજર ચેન્નાઈના MA Chidambaram Stadiumમાં રમાનારી આગામી મેચ પર છે, જ્યાં ભારતનો સામનો ઝિમ્બાબ્વે સાથે થશે.જો ભારતે આ મેચ જીતવી છે તો સેમિફાઇનલની રેસમાં ટકી રેહવા મહેનત કરવી પડશે,બેટિંગ કોચ સિતાંશુ કોટકે ખેલાડીઓને શાંત રહેવા અને દબાણને યોગ્ય રીતે હેન્ડલ કરવા પર ભાર મૂક્યો છે. તેઓ કહે છે કે દબાણ ક્રિકેટનો ભાગ છે અને મોટાં ખેલાડીઓ એમાં જ પોતાની ક્ષમતા સાબિત કરે છે. ભારત જેવી ટીમ માટે અપેક્ષાઓનો ભાર નવો નથી, અને ખેલાડીઓ જાણે છે કે મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર આવવું.

ટીમે ચેન્નાઈમાં લાંબી પ્રેક્ટિસ સેશન કરી હતી, જેમાં મોટાભાગના ખેલાડીઓ હાજર રહ્યા હતા. ખેલાડીઓએ સામાન્ય રીતે પ્રેક્ટિસ કરી અને કોઈ ગભરાટ દેખાયો નહોતો. બેટિંગ ઓર્ડરમાં ફેરફાર થવાની શક્યતા છે, કારણ કે શરૂઆતમાં સતત વિકેટ પડતા ટીમ મેનેજમેન્ટ નવા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.આ સંદર્ભમાં સanju સેમસનને ઓપનિંગ માટે મોકલવાની ચર્ચા ચાલી રહી છે, જેથી શરૂઆતમાં સ્થિરતા મળી શકે.તે સિવાય વાઇસ કેપ્ટન અક્ષર પટેલને પણ ફરી પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. અગાઉના મેચમાં ટેક્ટિકલ બદલાવ સફળ રહ્યા નહોતા, તેથી હવે ટીમ વધુ વિચારપૂર્વક પગલા ભરવા માગે છે. ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે મોટા ફેરફારો કરતા સમજદારીથી નિર્ણય લેવામાં આવશે.

ભારતીય ટીમ છેલ્લા કેટલાંક મહિના દરમિયાન ટી20 ક્રિકેટમાં ખૂબ સફળ રહી છે અને ખેલાડીઓ પાસે અનુભવ પણ ઘણો છે.જો ટીમ પોતાની ગેમ પ્લાન પર વિશ્વાસ રાખશે અને યોગ્ય રીતે અમલ કરશે, તો સેમિફાઇનલ સુધી પહોંચવાની શક્યતા હજુ પણ જીવંત છે.હવે બધાની નજર આગામી મુકાબલાઓ પર છે, જ્યાં ભારત માટે દરેક મેચ ફાઇનલ જેવી જ બની ગઈ છે.

Most Popular

To Top