આજકાલ શહેરોમાં ટ્રાફિક, પોલ્યુશન, નાના આવાસો, કુટુંબનાં બાળકોથી લઈ દીકરાની વહુ સુધી સહુની વ્યસ્તતા વચ્ચે ઘરનાં વડીલોને રસ્તો ઓળંગી બગીચા સુધી કોણ લઈ જાય! વડીલો એકાદ બસ કે રીક્ષા કરી દેવદર્શને પણ કેમ કરી જાય? પાકટ ઉંમરે તબિયતનું જરા નરમ-ગરમ રહેવાનું અને ડોક્ટર પાસે જઈએ એટલે કડક ભાષામાં સૂચના મળે ‘’કસરત’’ આ કાનામાત્રા વિનાની પ્રવૃત્તિ નહીં અપનાવો તો કાનામાત્રા વિના નરકમાં પહોંચી જવું પડશે! આજકાલ બને પણ કેવું, જોગર્સ પાર્કમાં ચાલવા માટે ઘર બહાર નીકળ્યાં હોઈએ ત્યારે જ સાઈડમાંથી ઓવરટેક કરતું વાહન પછાડે અને થાપાનો જોડ ભાંગે. ઘડિયાળના કાંટે બે કિલોમીટર ચાલી દુકાને પહોંચી બપોરનું સાત્ત્વિક ભોજન દુકાનમાં જ લેનાર વ્યાપારીને પણ બજારના પોલ્યુશનના કારણે ફેફસાંમાં ૭૬ % કંજેશન વ્યાપી જાય.
સ્વાસ્થ્યનો પ્રથમ આધાર પોષક આહાર છે. એક વયસ્ક વ્યક્તિએ પોતાના દિવસભરના ખોરાકમાં ૧૩૫ થી ૧૫૦ ગ્રામ તાજા શાકભાજી અને સીઝનલ ફ્રૂટ લેવાનું રાખવું જોઈએ. લીલાંછમ અને આકારમા સામાન્યથી મોટાં દેખાતાં ફળ, શાકભાજી ઓક્સીટોસીન અને કોપર સલ્ફેટની કેમીકલ ટ્રીટમેન્ટમાંથી પસાર કરેલાં જોવા મળે છે, પરંતુ ચીન કે ઓસ્ટ્રેલિયા જેવા દૂરના દેશોમાંથી આવતા ફળ-શાકભાજીમાંથી પાણીનું પ્રમાણ ઘટી ન જાય તે માટે વેકસ કોટ કરવામાં આવે છે. આવી અશુધ્ધિ સાથેના ખોરાકનું સેવન કરવાથી ફેફસાં અને લીવરને ભારે નુકસાન થાય છે. આથી ફળ-શાકભાજીને ઉપયોગમાં લેતાં પહેલાં ૩ થી ૪ કલાક ચોખ્ખા પાણીમાં પલાળી રાખવા, છાલ કાઢી નાખવી અને પ્રેશરકૂકરમાં વરાળના દબાણ વચ્ચે બાફી ખાવાનું રાખવું.
૬૦ વર્ષ પછી માણસની ૧.૫૦ કિલોગ્રામથી ૧.૮૦ કિલોગ્રામ સુધીનો ખોરાક પચાવી શકે છે. મનની ભૂખથી આરોગેલો વધારાનો બધો જ આહાર શરીર માટે બહાર નીકળતાં સુધી બોજ બની રહે છે. ઈંગ્લેન્ડમાં જેલના કેદીઓ ઉપરના અભ્યાસથી જાણવા મળેલ છે કે જેઓને ૧ વર્ષ સુધી જંક ફૂડ ઉપર રાખવામાં આવેલ તેઓની ગ્રહણશક્તિમાં ઘટાડો થયો અને સામુહિક વર્તનમાં અશિસ્ત વઘી અને જે ગુનેગારોને ચરબી, કાર્બોહાઈડ્રટ, મીનરલ, પોટિન, વિટામીનની સમતુલાવાળો તાજો ખોરાક આપવામાં આવતાં તેઓમાં શીખવાની અને પરસ્પરને સહકાર આપવાની વૃત્તિમાં વધારો થયો.
આપણે ત્યાં પ્રચલિત કહેવત છે, “અન્ન તેવો ઓડકાર’’ આ ઓડકાર તે ખોરાકની શરીર ઉપરની અસર છે. વનપ્રવેશ થઈ ચૂક્યો હોય છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. વૃધ્ધોએ ઔષધીઓનો આધાર લેવો પડે છે. પરંતુ મેડીસીન સાયન્સ કહે છે, “ધેરીઝ ઈફેકટ, ધેરીઝ એ સાઈડ ઈફેકટ.’’ સિક્કાની બીજી બાજુ પણ હોવાની જ. આથી ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળતી દવાઓ પણ ચણા-મમરા માફક ન લેવી. જરા અમસ્તી શરદી, શરીરને દુખાવામાં એસ્પિરિન લઈએ છીએ. પરંતુ ટેબલેટમાં રહેલ સ્ટરોડાઈલ એન્ટી ઈન્ફલમટરી ડ્રગ્સથી લાંબે ગાળે લીવરમાં અલ્સર થાય છે. ચામડી ઉપર લાલ ચાંઠાં પડે છે અને ચળ આવે છે. આથી ડોક્ટરની સલાહ વિના છાપાં-ટી.વી.ની જાહેરાતના આધારે લેશો નહીં. રોગનો ઉપાય કરતાં પહેલાં તેનું કારણ જાણવાનો પ્રયત્ન કરે.
સ્ત્રીપુરુષોમાં ૫૦-૬૦ વર્ષ પછી શરીર બહારથી કંઈ ફેરફાર નોંધતું નથી પરંતુ વ્યક્તિ વધુ સંવેદનશીલ બની જાય છે. રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. શરીરના મસલ્સ શિથિલ થવા લાગે છે અને મગજના સંદેશાઓનાં અમલમાં થોડી ઢીલાશ આવે છે. શરીર કેટલાંક જરૂરી તત્ત્વો ખોરાકમાંથી છૂટા પાડવાની ક્ષમતા ગુમાવી દે છે. આવા પ્રાકૃતિક ફેરફારવશાત્ વ્યક્તિનો દિવસભરનો પરિશ્રમ ઘટે છે.
પરાવલંબી અવસ્થાના લીધે ખોરાક લેવામાં અ-નિયમિતતા વધે છે અને સરવાળે એસીડીટીની ફરિયાદ રહે છે, ક્યારેક માથું છાતી, પેટમાં દુખાવો, બળતરા અનુભવાય છે પણ તેથી ગભરાયા વિના મનને મજબૂત રાખો. પ્રથમ તીખું, તળેલું, ખાટું, આથો લાવીને બનાવેલ વાનગી ઓછી કરવી. શરીરના દુખાવા માટેની, કેલ્શિયમ ચેનલની દવાઓ લેવાનું ઘટાડવું. તમાકુનું કોઈ પણ પ્રકારનું સેવન બંધ કરવું. આમ છતાં ફરિયાદ રહે તો ડોક્ટરની સલાહ અનુસાર સવારનો પૌષ્ટિક નાસ્તો અને રાત્રે માત્ર શાકભાજીના સૂપ સાથે ૨-ખાખરા ખાવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.
મેયો કિલનિક પ્રોસીડિંગ્સ અહેવાલ અનુસાર શહેરોમાં નાગરિકો અઠવાડિયામાં સરેરાશ ૧૮થી ર૩ કલાક ટી.વી. સામે બેસી રહે છે. આથી લેવાયેલ ખોરાકમાંથી ૨૭૫ થી ૩૮ યુનિટ કેલેરી વણવપરાયેલી પડી રહે છે. જે ફેટમાં કન્વર્ટ થતાં સાંધાના દુખાવા, હાડકામાં કળતર, લોહીના પરિભ્રમણના અટકાવના પ્રશ્નો ઊભા કરે છે. ધ્યાન રહે મસ્તિષ્કની ૬૨ લાખ પેશીઓ સક્રિય રહે છે. આથી વધતી ઉંમરે મગજને લોહીના પરિભ્રમણથી પૂરતો ઓકિસજન મળે તે જરૂરી છે. આ માટે સવારે ઊઠી પથારીમાં બેસીને અથવા સૂતાં-સૂતાં લાંબા શ્વાસની કસરત કરો. પાણીની ખાલી પ્લાસ્ટીક બોટલમાં શક્ય દબાણથી હવા ભરવાની કસરત થઈ શકે છે.
તે પછી પથારીમાં ક્રમશઃ પગ અને હાથ ઊંચા કરે. શયનખંડની બે દીવાલોને અડવાનું છે તેવી ચેષ્ટાથી શરીરને ખેંચો. જમણે-ડાબે પડખે ફરો. ઊંધા સૂવાનું શક્ય હોય તો પથારીમાં જ ઊંધા સૂઈ ક્રમશઃ હાથ-પગ અને પછી કમરથી ઊંચા થવા પ્રયત્ન કરો. સવારનો ચા-નાસ્તો પૂરો થયા પછી ફરવા જવાનો સમય થયો છે તેમ જાણી બંને હથેળીઓ સામ-સામે ઘસવાની, ખભામાંથી હાથ ગોળ-ગોળ ફેરવવાની, કમરથી આગળ-પાછળ નમવાની, ઘૂંટણથી પગને પાછળ વાળવાની, સાથળમાંથી પગને ઊંચા કરવાની કસરત કરો. સ્નાન કરતાં પહેલાં અનુકૂળ હોય તો તેલ ક્રીમથી શરીરને માલિશ કરો. અન્યથા નહાતાં સાથે સાબુના ફીણ થાય તેમ શરીરને મસાજ આપી પાણી વડે ઘસીને સાફ કરો.
શરીરના મસલ્સ, લોહીની નળીઓ માટે આ પ્રકારની ઉષ્માપ્રેરક કસરત લોહીનું પરિભ્રમણ વધારશે. શરીરમાં લચીલાપણું જળવાઈ રહેશે.હરતું-ફરતું પોતાનું કામ કરતું આનંદિત શરીર સ્વયં તંદુરસ્તીની નિશાની છે. મહાત્મા ગાંધીએ આશ્રમ ભજનાવલીની પ્રસ્તાવનામાં લખ્યું છે, “કોઈએ ઘરકામ છોડીને ઈશ્વરસ્મરણ માટે બેસવાની જરૂર નથી.” શરીરસ્વાસ્થ્ય માટે જોગર્સપાર્ક, કોઈ કલબમાં જવાને બદલે રોજબરોજના જીવન સાથે જ આહાર, નિદ્રા, વ્યાયામ અને મનની સ્વસ્થતાના કાર્યક્રમો જોડી દઈશું તો આયુષ્ય આનંદમય અને મૃત્યુ સુખસભર બની રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આજકાલ શહેરોમાં ટ્રાફિક, પોલ્યુશન, નાના આવાસો, કુટુંબનાં બાળકોથી લઈ દીકરાની વહુ સુધી સહુની વ્યસ્તતા વચ્ચે ઘરનાં વડીલોને રસ્તો ઓળંગી બગીચા સુધી કોણ લઈ જાય! વડીલો એકાદ બસ કે રીક્ષા કરી દેવદર્શને પણ કેમ કરી જાય? પાકટ ઉંમરે તબિયતનું જરા નરમ-ગરમ રહેવાનું અને ડોક્ટર પાસે જઈએ એટલે કડક ભાષામાં સૂચના મળે ‘’કસરત’’ આ કાનામાત્રા વિનાની પ્રવૃત્તિ નહીં અપનાવો તો કાનામાત્રા વિના નરકમાં પહોંચી જવું પડશે! આજકાલ બને પણ કેવું, જોગર્સ પાર્કમાં ચાલવા માટે ઘર બહાર નીકળ્યાં હોઈએ ત્યારે જ સાઈડમાંથી ઓવરટેક કરતું વાહન પછાડે અને થાપાનો જોડ ભાંગે. ઘડિયાળના કાંટે બે કિલોમીટર ચાલી દુકાને પહોંચી બપોરનું સાત્ત્વિક ભોજન દુકાનમાં જ લેનાર વ્યાપારીને પણ બજારના પોલ્યુશનના કારણે ફેફસાંમાં ૭૬ % કંજેશન વ્યાપી જાય.
સ્વાસ્થ્યનો પ્રથમ આધાર પોષક આહાર છે. એક વયસ્ક વ્યક્તિએ પોતાના દિવસભરના ખોરાકમાં ૧૩૫ થી ૧૫૦ ગ્રામ તાજા શાકભાજી અને સીઝનલ ફ્રૂટ લેવાનું રાખવું જોઈએ. લીલાંછમ અને આકારમા સામાન્યથી મોટાં દેખાતાં ફળ, શાકભાજી ઓક્સીટોસીન અને કોપર સલ્ફેટની કેમીકલ ટ્રીટમેન્ટમાંથી પસાર કરેલાં જોવા મળે છે, પરંતુ ચીન કે ઓસ્ટ્રેલિયા જેવા દૂરના દેશોમાંથી આવતા ફળ-શાકભાજીમાંથી પાણીનું પ્રમાણ ઘટી ન જાય તે માટે વેકસ કોટ કરવામાં આવે છે. આવી અશુધ્ધિ સાથેના ખોરાકનું સેવન કરવાથી ફેફસાં અને લીવરને ભારે નુકસાન થાય છે. આથી ફળ-શાકભાજીને ઉપયોગમાં લેતાં પહેલાં ૩ થી ૪ કલાક ચોખ્ખા પાણીમાં પલાળી રાખવા, છાલ કાઢી નાખવી અને પ્રેશરકૂકરમાં વરાળના દબાણ વચ્ચે બાફી ખાવાનું રાખવું.
૬૦ વર્ષ પછી માણસની ૧.૫૦ કિલોગ્રામથી ૧.૮૦ કિલોગ્રામ સુધીનો ખોરાક પચાવી શકે છે. મનની ભૂખથી આરોગેલો વધારાનો બધો જ આહાર શરીર માટે બહાર નીકળતાં સુધી બોજ બની રહે છે. ઈંગ્લેન્ડમાં જેલના કેદીઓ ઉપરના અભ્યાસથી જાણવા મળેલ છે કે જેઓને ૧ વર્ષ સુધી જંક ફૂડ ઉપર રાખવામાં આવેલ તેઓની ગ્રહણશક્તિમાં ઘટાડો થયો અને સામુહિક વર્તનમાં અશિસ્ત વઘી અને જે ગુનેગારોને ચરબી, કાર્બોહાઈડ્રટ, મીનરલ, પોટિન, વિટામીનની સમતુલાવાળો તાજો ખોરાક આપવામાં આવતાં તેઓમાં શીખવાની અને પરસ્પરને સહકાર આપવાની વૃત્તિમાં વધારો થયો.
આપણે ત્યાં પ્રચલિત કહેવત છે, “અન્ન તેવો ઓડકાર’’ આ ઓડકાર તે ખોરાકની શરીર ઉપરની અસર છે. વનપ્રવેશ થઈ ચૂક્યો હોય છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. વૃધ્ધોએ ઔષધીઓનો આધાર લેવો પડે છે. પરંતુ મેડીસીન સાયન્સ કહે છે, “ધેરીઝ ઈફેકટ, ધેરીઝ એ સાઈડ ઈફેકટ.’’ સિક્કાની બીજી બાજુ પણ હોવાની જ. આથી ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળતી દવાઓ પણ ચણા-મમરા માફક ન લેવી. જરા અમસ્તી શરદી, શરીરને દુખાવામાં એસ્પિરિન લઈએ છીએ. પરંતુ ટેબલેટમાં રહેલ સ્ટરોડાઈલ એન્ટી ઈન્ફલમટરી ડ્રગ્સથી લાંબે ગાળે લીવરમાં અલ્સર થાય છે. ચામડી ઉપર લાલ ચાંઠાં પડે છે અને ચળ આવે છે. આથી ડોક્ટરની સલાહ વિના છાપાં-ટી.વી.ની જાહેરાતના આધારે લેશો નહીં. રોગનો ઉપાય કરતાં પહેલાં તેનું કારણ જાણવાનો પ્રયત્ન કરે.
સ્ત્રીપુરુષોમાં ૫૦-૬૦ વર્ષ પછી શરીર બહારથી કંઈ ફેરફાર નોંધતું નથી પરંતુ વ્યક્તિ વધુ સંવેદનશીલ બની જાય છે. રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. શરીરના મસલ્સ શિથિલ થવા લાગે છે અને મગજના સંદેશાઓનાં અમલમાં થોડી ઢીલાશ આવે છે. શરીર કેટલાંક જરૂરી તત્ત્વો ખોરાકમાંથી છૂટા પાડવાની ક્ષમતા ગુમાવી દે છે. આવા પ્રાકૃતિક ફેરફારવશાત્ વ્યક્તિનો દિવસભરનો પરિશ્રમ ઘટે છે.
પરાવલંબી અવસ્થાના લીધે ખોરાક લેવામાં અ-નિયમિતતા વધે છે અને સરવાળે એસીડીટીની ફરિયાદ રહે છે, ક્યારેક માથું છાતી, પેટમાં દુખાવો, બળતરા અનુભવાય છે પણ તેથી ગભરાયા વિના મનને મજબૂત રાખો. પ્રથમ તીખું, તળેલું, ખાટું, આથો લાવીને બનાવેલ વાનગી ઓછી કરવી. શરીરના દુખાવા માટેની, કેલ્શિયમ ચેનલની દવાઓ લેવાનું ઘટાડવું. તમાકુનું કોઈ પણ પ્રકારનું સેવન બંધ કરવું. આમ છતાં ફરિયાદ રહે તો ડોક્ટરની સલાહ અનુસાર સવારનો પૌષ્ટિક નાસ્તો અને રાત્રે માત્ર શાકભાજીના સૂપ સાથે ૨-ખાખરા ખાવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.
મેયો કિલનિક પ્રોસીડિંગ્સ અહેવાલ અનુસાર શહેરોમાં નાગરિકો અઠવાડિયામાં સરેરાશ ૧૮થી ર૩ કલાક ટી.વી. સામે બેસી રહે છે. આથી લેવાયેલ ખોરાકમાંથી ૨૭૫ થી ૩૮ યુનિટ કેલેરી વણવપરાયેલી પડી રહે છે. જે ફેટમાં કન્વર્ટ થતાં સાંધાના દુખાવા, હાડકામાં કળતર, લોહીના પરિભ્રમણના અટકાવના પ્રશ્નો ઊભા કરે છે. ધ્યાન રહે મસ્તિષ્કની ૬૨ લાખ પેશીઓ સક્રિય રહે છે. આથી વધતી ઉંમરે મગજને લોહીના પરિભ્રમણથી પૂરતો ઓકિસજન મળે તે જરૂરી છે. આ માટે સવારે ઊઠી પથારીમાં બેસીને અથવા સૂતાં-સૂતાં લાંબા શ્વાસની કસરત કરો. પાણીની ખાલી પ્લાસ્ટીક બોટલમાં શક્ય દબાણથી હવા ભરવાની કસરત થઈ શકે છે.
તે પછી પથારીમાં ક્રમશઃ પગ અને હાથ ઊંચા કરે. શયનખંડની બે દીવાલોને અડવાનું છે તેવી ચેષ્ટાથી શરીરને ખેંચો. જમણે-ડાબે પડખે ફરો. ઊંધા સૂવાનું શક્ય હોય તો પથારીમાં જ ઊંધા સૂઈ ક્રમશઃ હાથ-પગ અને પછી કમરથી ઊંચા થવા પ્રયત્ન કરો. સવારનો ચા-નાસ્તો પૂરો થયા પછી ફરવા જવાનો સમય થયો છે તેમ જાણી બંને હથેળીઓ સામ-સામે ઘસવાની, ખભામાંથી હાથ ગોળ-ગોળ ફેરવવાની, કમરથી આગળ-પાછળ નમવાની, ઘૂંટણથી પગને પાછળ વાળવાની, સાથળમાંથી પગને ઊંચા કરવાની કસરત કરો. સ્નાન કરતાં પહેલાં અનુકૂળ હોય તો તેલ ક્રીમથી શરીરને માલિશ કરો. અન્યથા નહાતાં સાથે સાબુના ફીણ થાય તેમ શરીરને મસાજ આપી પાણી વડે ઘસીને સાફ કરો.
શરીરના મસલ્સ, લોહીની નળીઓ માટે આ પ્રકારની ઉષ્માપ્રેરક કસરત લોહીનું પરિભ્રમણ વધારશે. શરીરમાં લચીલાપણું જળવાઈ રહેશે.હરતું-ફરતું પોતાનું કામ કરતું આનંદિત શરીર સ્વયં તંદુરસ્તીની નિશાની છે. મહાત્મા ગાંધીએ આશ્રમ ભજનાવલીની પ્રસ્તાવનામાં લખ્યું છે, “કોઈએ ઘરકામ છોડીને ઈશ્વરસ્મરણ માટે બેસવાની જરૂર નથી.” શરીરસ્વાસ્થ્ય માટે જોગર્સપાર્ક, કોઈ કલબમાં જવાને બદલે રોજબરોજના જીવન સાથે જ આહાર, નિદ્રા, વ્યાયામ અને મનની સ્વસ્થતાના કાર્યક્રમો જોડી દઈશું તો આયુષ્ય આનંદમય અને મૃત્યુ સુખસભર બની રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.