સુરત : ઈસુના નવા વર્ષની સવારે નવસારીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. નવસારી શહેર ઉપરાંત જિલ્લાના મરોલી તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાં થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ભરશિયાળે માવઠાંએ લોકોને અચંબિત કર્યા હતાં અને જનજીવન પર પણ આંશિક અસર જોવા મળી હતી.