‘જીવમાત્ર દયાને પાત્ર છે.’ આવા કરુણામય વ્યવહારમાંથી મહાજન વ્યક્તિત્વનો વિકાસ થયો. ઈસુએ પહાડ પરનાં વક્તવ્યમાં અન્ય પ્રત્યેની કરુણાથી જ પરમ પિતા રીઝે છે તેવી વાત કરી, તેમ કુર્આનની આયાતમાં દાન-ધર્મના મહિમા સાથે જન્નતના સ્થાનની નિશ્ચિતતા ઉપર મહોર લગાવી છે. ભગવદ્ ગીતામાં ઘોષણા કરતા સ્વયં ભગવાને કહ્યું છે, ઈશ્વરના અસ્તિત્વનો આધાર માનવ સેવા છે. અને આથી જ તો પરસ્પરના સહકારથી જીવન વ્યવહાર ગોઠવવા પ્રત્યે શ્રદ્ધાવાન ગુજરાતીઓ ગરીબ-વૃદ્ધો, અસહાય અને રોગીઓની સારવાર, ગૌસંરક્ષણ પ્રકારનાં કાર્યોથી પુણ્ય હેતુ સધાયાનો સંતોષ મેળવે છે.
પરંતુ જે સ્તંભના આધારે સ્વૈચ્છિક સંસ્થાઓની વિભાવના ઊભેલી તે પાયા હવે હચમચી ગયાં છે. બદલાયેલ સામાજિક પરિસ્થિતિ સંદર્ભે જોઈએ તો, ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ દાતાઓના દાનથી ભલાઈના કામો કરે છે, પરંતુ ગુગલ સદીમાં હવે સેવા કાર્યથી પુણ્ય અને પુણ્યથી સ્વર્ગની માન્યતા તૂટી પડી છે. નવી પેઢી પાસે પૈસાના ખર્ચ માટેનો એજંડા એટલો વ્યાપક છે કે કરકસરથી જીવીને, સાદગી અપનાવીને દુખિયારા માટે જકાત (દાન) બાજુ ઉપર કાઢવાનો તર્ક રહ્યો નથી. એકલા મુંબઈમાં વિકએન્ડમાં રૂ.૮-૨૦ હજારમાં વિમાનની ટીકિટ ખરીદી દુબઈ, સિંગાપોર કે થાઈલેન્ડ જનારની સંખ્યા ૧૪,૦૦૦ સુધી પહોંચી છે. ઘરે બેઠાં એમેઝોન અને બિગ બાસ્કેટ જેવી માર્કેટ લિંક ઉપર ખરીદી દરેક મહિને રૂ.ર૬૦૦ કરોડ સુધી પહોંચે છે.
ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારની ગ્રાન્ટથી કલ્યાણ પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. દર્શન શાસ્ત્રઃ નિરામયા પ્રકારની વિભાવનામાંથી ભારતનાં સંવિધાને કલ્યાણ રાજ્ય અને આર્થિક સમાનતાને માનવ અધિકાર સાથે જોડી આપ્યું. પરંતુ બંધારણ રૂએ જે પ્રતિનિધિઓ પક્ષીય માળખામાંથી ચૂંટાઈ આવે છે તેઓનો આગ્રહ રહે છે કે રાજ્ય પોતાના સિવાય કોઈને પણ કલ્યાણ હેતુ સાથે જોડાવવાનો લાભ આપે નહીં.
જ્યોતિ બાસુના ૧૮ વર્ષ સુધી વિસ્ટ બંગાળમાં એકચક્રીય શાસનનું રહસ્ય સામ્યવાદી પક્ષની કલ્યાણ પ્રવૃત્તિ ઉપરની મજબૂત પકડ હતી. જે રાહ હવે મમતાએ આચર્યો છે. ગુજરાતમાં સરકાર પણ માને છે કે ગરીબ માણસનું કલ્યાણ પોતાનો પક્ષ રાષ્ટ્ર વિકાસને ભાગરૂપે જ કરી શકશે અને આથી આજે વિધવા સહાય, અપંગ સહાય, આવાસ કે બહેનને સાધન સહાયની ભલામણ ફોર્મમાં ચૂંટાયેલ પાંખોના સભ્યશ્રીની સહી અનિવાર્ય બનાવી દેવામાં આવી છે.
ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ ઉદ્યોગોનાં કાર્યક્ષેત્ર વિસ્તારમાં ગરીબી નિવારણના કામો કરે છે. પ્રાકૃતિક સંપદાનો વિશેષ વિનિયોગ કરનાર ઉદ્યોગોની સામાજિક જવાબદારી બને છે કે, ખેતીની જે જમીન ઉપર ઉદ્યોગો બન્યા છે, જે ભૂતળનું પાણી ઊંડાણ સુધી ખેંચી લીધુ છે, તેમ હવાને પ્રદૂષિત કરી છે, તો ક્ષેત્રના પેઢી દર પેઢીના રખેવાળોને પોતાના ઉદ્યોગમાં નોકરી આપે. આસપાસનાં ગામોનાં બાળકોને શૈક્ષણિક સંકુલ સ્થાપી ભણાવે. દવાખાના અને રસ્તાની સુવિધા આપે. તેમ સરકારી યોજનાઓનું સંકલન કરી નાગરિકોને સારા આવાસ આપે. ઉદ્યોગો પોતાની કર જવાબદારીમાંથી ૩ % સુધીની રકમ સી.એસ.આર. તરીકે વાપરે, પણ આ કામ હવે ઉદ્યોગો દ્વારા જ પારિવારીક સેવા વ્યવસ્થા ગોઠવીને થાય છે. જેથી ઉદ્યોગે ખર્ચેલી પાઈ-પાઈની પૂરેપૂરી ક્રેડિટ ઉદ્યોગોના માલિકના શિરે ચડે છે.
ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રજાકીય પ્રશ્નો માટે સંઘર્ષ કરતી રહી છે. આઝાદીની લડત સમયે ગાંધી વિચારમાંથી ગુજરાતના સ્વૈચ્છિક સંગઠનોને સંઘર્ષ અને રચના તેવો દિશા નિર્દેશ મળ્યો. રાજ્યમાં જનપથ, વાણી, સૌરાષ્ટ્ર મૈત્રી મંચ જેવા નેટવર્કિંગ સાથેના સ્વૈચ્છિક સમૂહોએ સરકારની નીતિ અને તેનાં પરિણામોને તાર્કિક રીતે સાંકળીને સમાજશાસ્ત્રીય અભિગમથી તેનું મૂલ્યાંકન કર્યું. દિશા, ઉત્થાન જેવી સંસ્થાઓએ આદિવાસી, અગરિયા, વંચિતોના પ્રશ્નો ઉઠાવ્યા, પરંતુ હવે યુનિવર્સિટીના વાઈસ ચાન્સલરોથી લઈ વિભાગોના અધ્યક્ષો સુધી ગોઠવાએલ પક્ષીય માળખાના લીધે હવે સરકારમાં માત્ર અનુકૂળ અભ્યાસો જ સ્વીકારવામાં આવે છે અને પ્રચાર માધ્યમોમાં માલિકી હકના જોરે જે કહેવાપાત્ર હોય તેટલું જ પ્રચલિત કરાતાં સત્ય-અસત્ય વચ્ચે અનુકૂળ-સત્યની નવી વિભાવના ટોળાને દોરી રહી છે.
આમાનું એક ઉદાહરણ, જીવાદોરી ગણાતી નર્મદા યોજનાનાં પાણીનાં વિતરણની શિથિલતા વચ્ચે સુજલામ-સુફલામ્ યોજનામા વ્યાપ્ત ભ્રષ્ટાચાર ગણી શકાય. આઝાદીનાં ૭૫ વર્ષ છતાંએ પુણ્ય માટે સતકાર્ય, દાનવીરોની દુઆથી ભલાઈનાં કાર્યો, રાષ્ટ્રનાં કલ્યાણ હેતુને પ્રચલિત કરવા વિકાસ કાર્યો. પર્યાવરણને નુકસાન કરતા ઉદ્યોગોનાં પ્રજા હિતને પ્રબળ કરવા માટેના માળખાગત સુવિધાનાં કામો, લોકશાહીનાં દ્રઢિકરણ માટેનાં સંઘર્ષ કાર્યોમાં હવે સ્વૈચ્છિક સંસ્થાઓનું અસ્તિત્વ અપ્રસ્તુત બનતું જોવા મળે છે.
આઝાદી પછી ઉભરેલ નવા પડકારોને સમજવા સ્વૈચ્છિક સંગઠનોએ રાષ્ટ્રહિતને આગળ કરી નવેસરથી રણનીતિ ઘડવી પડશે. વિજ્ઞાન અને તકનિકી વિકાસ આધારે સામાજિક સમાનતાના માપદંડો ઘડવા પડશે. તેમ આર્થિક માપદંડથી મપાતાં તમામ ધોરણોની નશ્વરતા પ્રતિપાદિત કરી ઘસાતાં મૂલ્યને ફરી ગઠિત કરવાનું કાર્ય સ્વૈચ્છિક સંસ્થા તરીકે કરવું પડશે. જે આધારસ્તંભો ઉપર સ્વૈચ્છિક સંસ્થાઓની ઈમાસ્ત ચણાયેલ તે પાયા જ હચમચી ગયાં છે. ત્યારે નવા આયામ અને ધ્યેયોને સિદ્ધ કરવા નવી પદ્ધતિથી કાર્ય ગોઠવણ કરવી પડશે. સ્વૈચ્છિક સંસ્થાઓએ હવે માત્ર સંવેદનાઓ કે ટીકા ટીપ્પણીને અળગા રાખી રાષ્ટ્રીય હિત માટે સેવાકાર્ય વિક્સાવશે નહી તો સમય સરી જશે અને હાથમાં રહી જશે માત્ર ભવ્ય ભૂતકાળ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘જીવમાત્ર દયાને પાત્ર છે.’ આવા કરુણામય વ્યવહારમાંથી મહાજન વ્યક્તિત્વનો વિકાસ થયો. ઈસુએ પહાડ પરનાં વક્તવ્યમાં અન્ય પ્રત્યેની કરુણાથી જ પરમ પિતા રીઝે છે તેવી વાત કરી, તેમ કુર્આનની આયાતમાં દાન-ધર્મના મહિમા સાથે જન્નતના સ્થાનની નિશ્ચિતતા ઉપર મહોર લગાવી છે. ભગવદ્ ગીતામાં ઘોષણા કરતા સ્વયં ભગવાને કહ્યું છે, ઈશ્વરના અસ્તિત્વનો આધાર માનવ સેવા છે. અને આથી જ તો પરસ્પરના સહકારથી જીવન વ્યવહાર ગોઠવવા પ્રત્યે શ્રદ્ધાવાન ગુજરાતીઓ ગરીબ-વૃદ્ધો, અસહાય અને રોગીઓની સારવાર, ગૌસંરક્ષણ પ્રકારનાં કાર્યોથી પુણ્ય હેતુ સધાયાનો સંતોષ મેળવે છે.
પરંતુ જે સ્તંભના આધારે સ્વૈચ્છિક સંસ્થાઓની વિભાવના ઊભેલી તે પાયા હવે હચમચી ગયાં છે. બદલાયેલ સામાજિક પરિસ્થિતિ સંદર્ભે જોઈએ તો, ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ દાતાઓના દાનથી ભલાઈના કામો કરે છે, પરંતુ ગુગલ સદીમાં હવે સેવા કાર્યથી પુણ્ય અને પુણ્યથી સ્વર્ગની માન્યતા તૂટી પડી છે. નવી પેઢી પાસે પૈસાના ખર્ચ માટેનો એજંડા એટલો વ્યાપક છે કે કરકસરથી જીવીને, સાદગી અપનાવીને દુખિયારા માટે જકાત (દાન) બાજુ ઉપર કાઢવાનો તર્ક રહ્યો નથી. એકલા મુંબઈમાં વિકએન્ડમાં રૂ.૮-૨૦ હજારમાં વિમાનની ટીકિટ ખરીદી દુબઈ, સિંગાપોર કે થાઈલેન્ડ જનારની સંખ્યા ૧૪,૦૦૦ સુધી પહોંચી છે. ઘરે બેઠાં એમેઝોન અને બિગ બાસ્કેટ જેવી માર્કેટ લિંક ઉપર ખરીદી દરેક મહિને રૂ.ર૬૦૦ કરોડ સુધી પહોંચે છે.
ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારની ગ્રાન્ટથી કલ્યાણ પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. દર્શન શાસ્ત્રઃ નિરામયા પ્રકારની વિભાવનામાંથી ભારતનાં સંવિધાને કલ્યાણ રાજ્ય અને આર્થિક સમાનતાને માનવ અધિકાર સાથે જોડી આપ્યું. પરંતુ બંધારણ રૂએ જે પ્રતિનિધિઓ પક્ષીય માળખામાંથી ચૂંટાઈ આવે છે તેઓનો આગ્રહ રહે છે કે રાજ્ય પોતાના સિવાય કોઈને પણ કલ્યાણ હેતુ સાથે જોડાવવાનો લાભ આપે નહીં.
જ્યોતિ બાસુના ૧૮ વર્ષ સુધી વિસ્ટ બંગાળમાં એકચક્રીય શાસનનું રહસ્ય સામ્યવાદી પક્ષની કલ્યાણ પ્રવૃત્તિ ઉપરની મજબૂત પકડ હતી. જે રાહ હવે મમતાએ આચર્યો છે. ગુજરાતમાં સરકાર પણ માને છે કે ગરીબ માણસનું કલ્યાણ પોતાનો પક્ષ રાષ્ટ્ર વિકાસને ભાગરૂપે જ કરી શકશે અને આથી આજે વિધવા સહાય, અપંગ સહાય, આવાસ કે બહેનને સાધન સહાયની ભલામણ ફોર્મમાં ચૂંટાયેલ પાંખોના સભ્યશ્રીની સહી અનિવાર્ય બનાવી દેવામાં આવી છે.
ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ ઉદ્યોગોનાં કાર્યક્ષેત્ર વિસ્તારમાં ગરીબી નિવારણના કામો કરે છે. પ્રાકૃતિક સંપદાનો વિશેષ વિનિયોગ કરનાર ઉદ્યોગોની સામાજિક જવાબદારી બને છે કે, ખેતીની જે જમીન ઉપર ઉદ્યોગો બન્યા છે, જે ભૂતળનું પાણી ઊંડાણ સુધી ખેંચી લીધુ છે, તેમ હવાને પ્રદૂષિત કરી છે, તો ક્ષેત્રના પેઢી દર પેઢીના રખેવાળોને પોતાના ઉદ્યોગમાં નોકરી આપે. આસપાસનાં ગામોનાં બાળકોને શૈક્ષણિક સંકુલ સ્થાપી ભણાવે. દવાખાના અને રસ્તાની સુવિધા આપે. તેમ સરકારી યોજનાઓનું સંકલન કરી નાગરિકોને સારા આવાસ આપે. ઉદ્યોગો પોતાની કર જવાબદારીમાંથી ૩ % સુધીની રકમ સી.એસ.આર. તરીકે વાપરે, પણ આ કામ હવે ઉદ્યોગો દ્વારા જ પારિવારીક સેવા વ્યવસ્થા ગોઠવીને થાય છે. જેથી ઉદ્યોગે ખર્ચેલી પાઈ-પાઈની પૂરેપૂરી ક્રેડિટ ઉદ્યોગોના માલિકના શિરે ચડે છે.
ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રજાકીય પ્રશ્નો માટે સંઘર્ષ કરતી રહી છે. આઝાદીની લડત સમયે ગાંધી વિચારમાંથી ગુજરાતના સ્વૈચ્છિક સંગઠનોને સંઘર્ષ અને રચના તેવો દિશા નિર્દેશ મળ્યો. રાજ્યમાં જનપથ, વાણી, સૌરાષ્ટ્ર મૈત્રી મંચ જેવા નેટવર્કિંગ સાથેના સ્વૈચ્છિક સમૂહોએ સરકારની નીતિ અને તેનાં પરિણામોને તાર્કિક રીતે સાંકળીને સમાજશાસ્ત્રીય અભિગમથી તેનું મૂલ્યાંકન કર્યું. દિશા, ઉત્થાન જેવી સંસ્થાઓએ આદિવાસી, અગરિયા, વંચિતોના પ્રશ્નો ઉઠાવ્યા, પરંતુ હવે યુનિવર્સિટીના વાઈસ ચાન્સલરોથી લઈ વિભાગોના અધ્યક્ષો સુધી ગોઠવાએલ પક્ષીય માળખાના લીધે હવે સરકારમાં માત્ર અનુકૂળ અભ્યાસો જ સ્વીકારવામાં આવે છે અને પ્રચાર માધ્યમોમાં માલિકી હકના જોરે જે કહેવાપાત્ર હોય તેટલું જ પ્રચલિત કરાતાં સત્ય-અસત્ય વચ્ચે અનુકૂળ-સત્યની નવી વિભાવના ટોળાને દોરી રહી છે.
આમાનું એક ઉદાહરણ, જીવાદોરી ગણાતી નર્મદા યોજનાનાં પાણીનાં વિતરણની શિથિલતા વચ્ચે સુજલામ-સુફલામ્ યોજનામા વ્યાપ્ત ભ્રષ્ટાચાર ગણી શકાય. આઝાદીનાં ૭૫ વર્ષ છતાંએ પુણ્ય માટે સતકાર્ય, દાનવીરોની દુઆથી ભલાઈનાં કાર્યો, રાષ્ટ્રનાં કલ્યાણ હેતુને પ્રચલિત કરવા વિકાસ કાર્યો. પર્યાવરણને નુકસાન કરતા ઉદ્યોગોનાં પ્રજા હિતને પ્રબળ કરવા માટેના માળખાગત સુવિધાનાં કામો, લોકશાહીનાં દ્રઢિકરણ માટેનાં સંઘર્ષ કાર્યોમાં હવે સ્વૈચ્છિક સંસ્થાઓનું અસ્તિત્વ અપ્રસ્તુત બનતું જોવા મળે છે.
આઝાદી પછી ઉભરેલ નવા પડકારોને સમજવા સ્વૈચ્છિક સંગઠનોએ રાષ્ટ્રહિતને આગળ કરી નવેસરથી રણનીતિ ઘડવી પડશે. વિજ્ઞાન અને તકનિકી વિકાસ આધારે સામાજિક સમાનતાના માપદંડો ઘડવા પડશે. તેમ આર્થિક માપદંડથી મપાતાં તમામ ધોરણોની નશ્વરતા પ્રતિપાદિત કરી ઘસાતાં મૂલ્યને ફરી ગઠિત કરવાનું કાર્ય સ્વૈચ્છિક સંસ્થા તરીકે કરવું પડશે. જે આધારસ્તંભો ઉપર સ્વૈચ્છિક સંસ્થાઓની ઈમાસ્ત ચણાયેલ તે પાયા જ હચમચી ગયાં છે. ત્યારે નવા આયામ અને ધ્યેયોને સિદ્ધ કરવા નવી પદ્ધતિથી કાર્ય ગોઠવણ કરવી પડશે. સ્વૈચ્છિક સંસ્થાઓએ હવે માત્ર સંવેદનાઓ કે ટીકા ટીપ્પણીને અળગા રાખી રાષ્ટ્રીય હિત માટે સેવાકાર્ય વિક્સાવશે નહી તો સમય સરી જશે અને હાથમાં રહી જશે માત્ર ભવ્ય ભૂતકાળ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.