Vadodara

વડોદરા-રતલામ રેલ્વે ટ્રેક પર ત્રીજી અને ચોથી લાઈન પ્રસ્થાપિત કરવા કેબિનેટની મંજૂરી

( પ્રતિનિધી )વડોદરા,તા.7

કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળે મળેલી ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ કોરિડોરને ચાર લેન અને શક્ય હોય ત્યાં છ લેન સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વડોદરા રતલામ રેલવે ટ્રેક ઉપર ત્રીજી અને ચોથી લાઈન પ્રસ્થાપિત કરવા માટે 8885 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી.વડોદરાની જનતા વતી વડોદરાના સાંસદ ડો,હેમાંગ જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટમાં 24,634 કરોડના વિવિધ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને વડોદરા- રતલામ રેલવે ટ્રેક ઉપર ત્રીજી અને ચોથી લાઈન પ્રસ્થાપિત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં કેન્દ્ર મંત્રીમંડળે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સાત રેલ્વે કોરિડોર કુલ રેલ ટ્રાફિકનો 41 ટકા હિસ્સો છે. અમે તાજેતરમાં આ કોરિડોરને મજબૂત બનાવ વધુ જોડવા માટે ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આ કોરિડોરને ચાર લેન અને શક્ય હોય ત્યાં છ લેન સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમ જેમ વધુ રેલ્વે પ્રોજેક્ટ આવી રહ્યા છે, તેમ તેમ લોજિસ્ટિક્સ ખર્ચ ઘટી રહ્યો છે. આપણા જેવા ઘણા દેશોએ, તેમની વસ્તી અને અર્થતંત્ર સાથે, રેલ્વે પર ભાર મૂક્યો છે. કારણ કે તે પર્યાવરણને અનુકૂળ છે અને ખર્ચ ઘટાડવામાં પણ મદદ કરે છે. જ્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢ રાજ્યોના 18 જિલ્લાઓને આવરી લેતા આ ચાર પ્રોજેક્ટ્સ, ભારતીય રેલ્વેના હાલના નેટવર્કને આશરે 894 કિમી સુધી વિસ્તૃત કરશે. કેન્દ્ર દ્વારા મંજૂર કરાયેલ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ આશરે 85.84 લાખની વસ્તી ધરાવતા આશરે 3,633 ગામડાઓ અને બે જિલ્લાઓ વિદિશા અને રાજનાંદગાંવ સાથે કનેક્ટિવિટી વધારશે. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. અમે લોકોમોટિવના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો છે. અમે દર વર્ષે 1,600 લોકોમોટિવનું ઉત્પાદન કરી રહ્યા છીએ, જે યુરોપ અને ઉત્તર અમેરિકાના સંયુક્ત ઉત્પાદન કરતા વધુ છે. અમે દર વર્ષે 7,000 કોચનું ઉત્પાદન કરી રહ્યા છીએ, જે યુરોપ, ઉત્તર અમેરિકા અને જાપાનના સંયુક્ત ઉત્પાદન કરતા વધુ છે.

Most Popular

To Top