ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગૌતમભાઇ ગેડીયાજી ની સૂચનાથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડો.જયપ્રકાશ સોનીજીના માર્ગદર્શન મુજબ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 21 મી જૂન યોગ દિવસ નિમિતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી સયાજીગંજ વિસ્તાર માં આવેલ કમાટી બાગ સ્થિત ભારત રત્ન ડો આંબેડકર જી ના સ્મૃતિ સમા સંકલ્પ ભૂમિ ખાતે યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોરચા ના પ્રમુખ હર્ષદભાઈ વકીલ મહામંત્રી મનીષભાઈ કાપડિયા સહીત મોરચાના ઉપપ્રમુમઃ મંત્રી તેમજ હોદેદારો કાર્યકર્તા જોડાયા હતા અનુસૂચિત મોરચાના પ્રમુખ હર્ષદભાઈ વકીલ એ કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે દર વર્ષે આંતરરાટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવે છે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જી પણ લોક જીવનનું સ્વાસ્થ્ય સારું રહે,લોકો નિરોગી રહે તે માટે યોગ પર વધુ ભાર મૂકે છે વડાપ્રધાન પણ ખુદ સ્વાસ્થ્ય ને લઇ ને યોગ ને મહત્વ આપે છે જેથી સમગ્ર દેશ માં યોગ દિવસ ની ઉજવણી કરવાનું જાહેર થયું છે ત્યારે વડાપ્રધાન શ્રી ના સંકલ્પ મુજબ દેશની પ્રજા નિરોગી બને તે માટે દેશ માં યોગ દિવસ ની ઉજવણી થાય છે આજે કમાટી બાગ ખાતે સંકલ્પ ભૂમિની પવિત્ર ભૂમિ પર ભગવાન બુદ્ધની પ્રતિમાના સાનિધ્યમાં મોરચાના હોદેદારો એ યોગ દિવસની ઉજવણી કરી
