કાલોલ: સ્ટેશન રોડ ઉપર વીજ પુરવઠો ખોરવાતા સમારકામ માટે થાંભલે ચડેલા કર્મચારીને કરંટ લાગતા પોલ પરથી પટકાતા મોત થયું હતું.
સોમવારે વાવાઝોડા સાથે વરસેલા વરસાદની ઝપટમા વૃક્ષો અને વાહનો આવી ગયા હતા. વીજ પુરવઠો પણ બંધ થયો હતો. મંગળવારે સવારે કાલોલ એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે સ્ટેશન રોડ ઉપર એમજીએસ સ્કૂલના પાછળના ભાગે વીજ પોલ ઉપર ચડેલા કર્મચારીને કરંટ લાગતા નીચે પટકાયા ગયા હતા અને નજીકમાં આવેલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યા તેઓનું મોત નિપજ્યું હતું. વીજ મેન્ટેનન્સની કામગીરીમાં કર્મચારીનુ મોત થતા વીજ કર્મચારીઓમાં ભારે શોક વ્યાપ્યો હતો