Vadodara

ભાજપા વડોદરા મહાનગર દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો


*”વોર્ડ નંબર 2 સ્થિત છાત્રાલયમાં યુવકો સાથે ભાજપાના હોદેદારોએ સંવિધાનના અનુસંધાને ગોષ્ટિ કરી”*

વડોદરા મહાનગર માં ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ ૧૧ જાન્યુઆરી થી ૨૫ જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય કાર્યક્રમ ‘સંવિધાન ગૌરવ અભિયાન ‘ ની ઉજવણી થનાર છે. ભાજપાએ હંમેશા સંવિધાનને સર્વોપરી માની નીતિઓ ઘડી છે તથા ડો બાબાસાહેબ આંબેડકરજી નું સન્માન અકબંધ રાખ્યું છે. બાબા સાહેબ અને સંવિધાનને જો કોઈ વધુ સન્માન આપી રહ્યું હોય તો એ ભાજપ આપે છે. આ પાર્ટી ની વિચારધારાને પ્રજા સમક્ષ મૂકવા વડોદરા મહાનગર અધ્યક્ષ શ્રી ડો. વિજયભાઈ શાહના વડપણ હેઠળ તારીખ ૧૨ જાન્યુઆરી અને ૧૩ જાન્યુઆરીના રોજ શહેરના દરેક વોર્ડ કક્ષાએ મીટીંગ કરી હતી . અભિયાનના ભાગરૂપે આજે સમા સ્થિત બોયસ હોસ્ટેલ ખાતે વડોદરા શહેર મહામંત્રી તેમજ અનુ. જાતિ મોરચાના પ્રમુખ અને કાઉન્સિલરો તેમજ યુવા મોરચા મહિલા મોરચા અને વોર્ડ 2 ના કાર્યકર્તા ઓની ઉપસ્થિતિ માં પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો સાથે વિધાર્થીઓ સાથે સંવિધાન અને ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજી ને ભાજપ એ આપેલા માન સન્માન ની વાત કરી હતી. હંમેશા કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકરજીને અન્યાય કરાયો છે તેમજ કોંગ્રેસ ના શાસન માં સંવિધાન સાથે કરવામાં આવેલા ચેડા, કટોકટી જેવા વિવિધ વિષય પર વિસ્તૃત ચર્ચા કરી વિધાર્થી ઓને માહિતગાર કર્યા હતા
આજ રોજ ૧૯ જાન્યુઆરી ના સવારે યુવા મોરચા દ્વારા અનુ.જાતિ વિદ્યાર્થી છાત્રાલયોમાં અને મહિલા મોરચા દ્વારા કન્યા છાત્રાલયોમાં ગોષ્ટી અને પત્રિકા વિતરણ નો કાર્યક્રમ કરાયો હતો જેમાં શહેર મહામંત્રી સત્યેનભાઈ કુલાબકર, સંવિધાન ગૌરવ અભિયાન ના ઇન્ચાર્જ અને અનુ જાતિ મોરચા ના પ્રમુખ હર્ષદ પરમાર (વકીલ ) વોર્ડ 16 ના કોર્પોરેટર ઘનશ્યામ ભાઈ સોલંકી વોર્ડ 2 ના કાઉન્સિલર રસ્મિબેન વાઘેલા, મહિલા મોરચા ના મહામંત્રી શુભાંગીની બેન જાગતાપ તેમજ વોર્ડ 2 ના પ્રમુખ તેમજ કાર્યકર્તા યુવા મોરચા ના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને પત્રિકા વિતરણ અને ગોષ્ટિ નો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

Most Popular

To Top